Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ભારત પાકિસ્તાન વચ્ચેનું યુધ્ધ આખી દુનિયા માટે વિનાશકારી

સયુંકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસ

યુએન : સંયુકત મહાસચિવ એંતોનીયો ગુતારેસે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન એક સાથે મળીને પોતાની સમસ્યાઓ પર ગંભીરતાપુર્વક વાત કરે તે બહુ જરૂરી છે. ગુતારેસે કહ્યું કે બન્ને દેશો વચ્ચે કોઇપણ પ્રકારની સૈનિક અથડામણ તેમના માટે અને આખી દુનિયા માટે વિનાશકારી બનશે તેમણે કહ્યું કે મારૂ માનવું છે કે નિયંત્રણ રેખા પર તણાવ ઘટવો બહુ જરૂરી છે.

ગુતારેસે ગુરૂવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે બન્ને દેશો એક સાથે આગળ આવે અને પોતાની સમસ્યાઓ પર ઉંડાણપુર્વક વાતચીત કરે. હું કહેવા માંગું છું કે એવી સમસ્યાઓ જેનું કોઇ સૈનિક સમાધાન નથી તેના શાંતિપુર્ણ સમાધાન શોધવામાં આવે. ભારત અને પાકિસ્તાન માટે એ સપષ્ટ છે કે બન્ને દેશો વચ્ચેની કોઇપણ સૈનિક અથડામણ બન્ને દેશો અને આખી દુનિયા માટે વિનાશકારી બનશે.

(2:33 pm IST)