Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

કાર ડિવાઇડરની સાથે ટકરાતાં સર્જાયો અકસ્માતઃ અકાળે અવસાનથી પ્રશંસકોમાં શોકનો માહોલ

૨ એપ્રિલે રિલીઝ થવાનું હતું નવું ગીત પંજાબી સિંગર દિલજાનનું માર્ગ દુર્ઘટનામાં નિધન

ચંદીગઢ, તા.૩૦:  પંજાબના અમૃતસર જિલ્લામાં એક ગોઝારા માર્ગ અકસ્માતમાં પંજાબી સિંગર દિલજાનનું નિધન થયું છે. આ દુર્ઘટના મંગળવાર વહેલી પરોઢે લગભગ ૩:૪૫ વાગ્યે બની. જાણીતા પંજાબી સિંગર દિલજાન મોડી રાત્રે પોતાની કારમાં અમૃતસરથી કરતારપુર જઈ રહ્યા હતા અને આ દરમિયાન જંડિયાલા ગુરૂની પાસે માર્ગ અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ નિધન થઈ ગયું. નોંધનીય છે કે દિલજાન કરતારપુરના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ દુર્ઘટના તેમની કાર ડિવાઇડરથી ટકરાવા કારણે બની.

પોલીસનું કહેવું છે કે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. દિલજાન મંગળવાર વહેલી પરોઢે અમૃતસરથી કરતારપુર તરફ પોતાની કારમાં સવાર થઈને જઈ રહ્યા હતા. જીટી રોડ પનર તેમની કારની સ્પીડ દ્યણી હતી. પુલની પાસે પહોંચતા જ કાર અનિયંત્રિત થઈ ગઈ અને ડિવાઇડરથી ટકરાઇને પલટી ગઈ. દુર્ઘટના જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ પોતાના વાહનો રોકીને દિલજાનને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. હોસ્પિટલ લઈ જતાં પહેલા જ દિલજાનનું નિધન થઈ ચૂકયું હતું.

દિલજાનના પરિજનોએ જણાવ્યું કે ૨ એપ્રિલે દિલજાનનું નવું ગીત રિલીઝ થવાનું હતું. આ સંદર્ભમાં એક મીટિંગમાં સામેલ થવા તે સોમવારે પોતાની કારમાં સવાર થઇને અમૃતસર ગયા હતા. મોડી રાત્રે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની, જેમાં તેમનું નિધન થઈ ગયું છે. જે સમયે આ દુર્દ્યટના બની તે સમયે દિલજાન કારમાં એકલા જ હતા.

(4:15 pm IST)