Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મધ્યપ્રદેશ ભાજપનાં પ્રદેશ પ્રમુખ અને ખજુરાહોના સાસંદ વિષ્ણુદત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સોશ્યલ મિડીયાનાં માધ્યમથી આપી જાણકારી: સંપર્કમાં આવેલ લોકોને રિપોર્ટ કરાવવા અપીલ કરી

ભોપાલ: મધ્યપ્રદેશ ભાજપનાં પ્રમુખ અને ખજુરાહો બેઠકના સાંસદ વિષ્ણુ શર્માએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે, આઠ દિવસમાં સંપર્કમાં આવેલ લોકોએ કોરોના રિપોર્ટ કરાવવા અપિલ કરી છે.
વી.ડી.શર્મા તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ખજુરાહો બેઠક પર લડ્યા હતા અને ભારે મતોથી જીત મેળવી પ્રથમ વખત સાસંદ બન્યા છે અને તેઓની છ મહિના પહેલા મધ્યપ્રદેશનાં પ્રમુખ તરીકે નિમણુંક થઈ હતી.
અત્રે નોંધનીય છે કે, ચાર-પાંચ દિવસ પુર્વે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને મધ્યપ્રદેશ સરકારનાં મંત્રી અશ્વિન ભાદોરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો.

(12:00 am IST)