Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થનારા રામમંદિર ભૂમિપૂજનની તડામાર તૈયારીઓ શરૂ : BAPS ના પૂજ્ય મહંત સ્વામી ,SGVP ના પૂજ્ય માધવપ્રિયદાસજી ,સહીત સાત સંતોને પધારવા આમંત્રણ પાઠવાયું

અયોધ્યા : અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થનારા રામમંદિર ભૂમિપૂજનની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.સમગ્ર દેશના અગ્રણી સંતો મહંતો તથા મહાનુભાવોને હાજરી આપવા આમંત્રણ મોકલાઈ રહ્યા છે.
આ બધા વચ્ચે ગુજરાતમાંથી પણ 7 સંતોને હાજરી આપવા આમંત્રણ મોકલ્યું છે.
જેમાં 1. મહંત સ્વામી (બીએપીએસ)
2. અવિચલદાસજી (સતકેવલ જ્ઞાનપીઠ, સારસા)
3. પરમાત્માનંદજી (સંયોજક મહામંત્રી, હિન્દુ ધર્મ આચાર્ય મહાસભા)
4. માધવપ્રિયદાસજી (અધ્યક્ષ, SGVP ગુરુકુળ)
5. આચાર્ય કૃષ્ણમણી (જામનગર પ્રણામી સંપ્રદાય)
6. અખિલેશ્વરદાસજી (મહંત, સરસપુર રામજી મંદિર)
7. શાંતિગીરી મહારાજ (વડીયાવીર, ઈડર)નો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:02 pm IST)