Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

દર્દનાક ઘટના! પારિવારિક કંકાશ કારણભૂત

પતિએ ત્રણ બાળકો અને પત્નીને ઝેર આપી ગળું દબાવીને કરી હત્યાઃ પોતે પણ કર્યો આપઘાત

પલવલ,તા.૩૦: હરિયાણાના પલવલ જિલ્લાના ઔરંગાબાદ ગામમાં એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે પલવલની સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. આ ઘટના બાદ પરિવારમાં માતમ છવાયો હતો.

માનવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. બુધવારે સવારે પાંચેયની લાશો પરિવારમાં મુખ્ય સભ્યને મળી હતી ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથધરી હતી. પોલીસે પતિ પત્ની અને ત્રણ બાળકોની લાશનો કબ્જો લીધો હતો. પતિ પત્નીએ ફાંસી લગાવી દીધી હતી જયારે બાળકોને ઝેર આપી દીધું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે સવારે નરેશ કુમારના પિતા લખી રામે ઘરનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં તો પાડોશમાં રહેતા યુવકને ઘરમાં મોકલીને અંદરથી જોયું તો બધા મૃત હાલતમાં પડ્યા હતા. જયારે નરેશ કુમાર પંખાના હુક સાથે ફાંસી ઉપર લટકતો હતો. જયારે લખીરામે અંદર જઈને જોયું તો નરેશ ફાંસી ઉપર લટકેલો હતો. જયારે તેની પત્ની આરતી અને બાળકોની લાશ ખાટલા ઉપર પડી હતી.

મૃતક નરેશ કુમાર ઝાંસીમાં એક હોટલ ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. એક દિવસ પહેલા નરેશ ઝાંસીથી પોતાના ઘરે આવ્યો હતો. મરનાર નરેશ કુમાર ૩૩ વર્ષ અને ૩૦ વર્ષની પત્ની આરતી, ૧૧ વર્ષની રવિતા, નવ વર્ષની ભાવના અને સાત વર્ષનો સંજયનો સમાવેસ થાય છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે પારિવારક કંકાશના કારણે ત્રણ બાળકો અને પત્નીને ઝેર આપીને ગળું દબાવીને મારી નાંખ્યા હતા. ત્યારબાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. બધાની લાશોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસ તપાસમાં કારણ સ્પષ્ટ થશે. 

(10:27 am IST)