Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

BIS માર્કા વગરની બોટલ વેચી નહિ શકાય

કાલથી બોટલબંધ પાણીને લઇને પણ બદલાશે નિયમઃ લોકલ કંપનીઓ માટે પણ BIS સર્ટી. જરૂરી

નવી દિલ્હી,તા. ૩૧: ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI)એ પેકેટબંધ પાણી અને મિનરલ વોટર વિનિર્માતાઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે. જે અંતર્ગત હવેથી પાણીની બોટલો અને મિનરલ વોટર વિનિર્માતાઓ માટે લાયસન્સ મેળવવા માટે અને રજીસ્ટ્રેશન કરવા માટે ભારતીય માનક બ્યુરો(BIS)નું પ્રમાણ પાત્ર મેળવવું ફરજિયાત કરાયું છે. જેને લઈને ૧ એપ્રિલથી બોટલોમાં પાણી વેચનારાઓ માટે BIS સર્ટિફિકેટ ફરજીયાત થશે.

આ અંગે FSSAIએ બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્ય આયુકતોને પત્ર મોકલી જાણકારી આપી છે. જેમ કહેવાયું છે કે, બોટલમાં પાણી વેચતા વિક્રેતાઓ માટે BIS પ્રમાણપત્ર ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવે.

FSSAIએ કહ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ ૨૦૦૮ અંતર્ગત બધા જ ફૂડ બિઝનેસ ઓર્ગેનાઇઝર્સ માટે કોઈ પણ ફૂડ બિઝનેસ શરુ કરતા પહેલા લાઇસન્સ અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. નિયામકે જણાવ્યા મુજબ, કોઈપણ વિક્રેતા ખાદ્ય સુરક્ષા અને માનક (પ્રતિબંધ અને વેચાણ પર અંકુશ) નિયમન, ૨૦૨૧ અંતર્ગત BIS ચિન્હ બાદ જ બોટલબંધ પાણી વેચી શકશે.

FSSAIના આ પગલાને કારણે બોટલમાં મળતા પાણીની ગુણવત્ત્।ા નક્કી થઇ શકશે. દેશમાં ઘણી કંપનીઓ બોતલવાળું પાણી વેચે છે. પરંતુ તેમાં ગુણવત્ત્।ાયુકત પાણી નથી મળતું. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, હવે લાઇસન્સ રીન્યુ કરાવવા માટે પણ BIS જરૂરી બનશે. BIS સર્ટિફિકેટ બતાવ્યા વિના હવેથી કંપનીઓનું લાઇસન્સ રીન્યુ નહીં થઇ શકે. એટલું જ નહીં, BIS લાઇસન્સ મળ્યા બાદ જ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ તેમનું વાર્ષિક રિટર્ન ઓનલાઇન ભરી શકશે. તમને જણાવી દઈએ કે, FSSAIના આ નિયમો ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ લાગુ થશે.

(10:21 am IST)