Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

જ્યાં રિલાયન્સનું સર્જન કરનાર ધીરુભાઈ અંબાણી અને જૂનાગઢના મેયર તથા મોટા ગજાના ઉદ્યોગપતિ ધીરુભાઈ ગોહેલ ભણ્યા હતા તે જૂનાગઢની સ્વામી વિવેકાનંદ સરકારી સાયન્સ હાઇસ્કુલ બંધ કરી દેવામાં આવી

જૂનાગઢ : અહીંની સ્વામી વિવેકાનંદ સરકારી સાયન્સ સ્કૂલ બંધ કરી દેવી પડી છે. પુરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ થતા ન હોય ચાર વર્ષથી સાયન્સ વિભાગ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

૧૯૭૫થી આ સ્કૂલમાં સાયન્સ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો જે હવે વિદ્યાર્થીઓની માંડ ૧૪ ની સંખ્યા રહેતા બંધ કરી દેવામાં આવેલ છે તેવું દિવ્યભાસ્કરની સોરઠ આવૃત્તિમાં પ્રસિદ્ધ થયું છે.

એક સમયે અહીં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એટલું જ નહીં ધોરણ-૧૧ અને ૧૨ના કુલ ૧૨ વર્ગોમાં એકાદ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને ગુજરાતની આ બીજા નંબરની હાઇસ્કુલ ગણવામાં આવતી હતી. આજે તેની દયાજનક સ્થિતિ થઈ છે.

ડોલરભાઈ કોટેચા, ગીરીશભાઈ કોટેચા, મહેન્દ્રભાઈ મશરૂ, અમિતભાઈ શર્મા જેવા જૂનાગઢ પંથકના ધુરંધરો અહીં અભ્યાસ કરી ચુક્યા છે.

(7:53 pm IST)