Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દિલ્હીમાં અનલોકની પ્રક્રિયાનો થયો પ્રારંભ : રખાના, કન્સ્ટ્રક્શન સાઇટ ફરીથી ધમધમશે

કોવિડ-19ના નિયમોનું પાલન કરવુ પડશે:. બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરો અને કર્મચારીઓએ આવન-જાવન માટે ઈ-પાસ લેવો પડશે.

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનામાં સતત કેસ ઘટતા આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જોકે લોકડાઉનના કારણે લગાવેલા પ્રતિબંધો સાત જૂન સુધી રહેવા છે. દિલ્હીમાં આજથી સાત દિવસ માટે કારખાના અને બાંધકામ કામગીરીઓ શરૂ કરવાની સરકારે મંજૂરી આપી છે. જોકે તે દરમિયાન કોવિડ-19ના નિયમોનું પાલન કરવુ પડશે. બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરો અને કર્મચારીઓએ આવન-જાવન માટે ઈ-પાસ લેવો પડશે.

(11:23 am IST)