Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ગાઝીયાબાદઃ રાજનગર સેક્ટરમાં રહેતા વૃધ્ધ દંપતી સુરેન્દ્ર વર્મા અને તેમના પત્ની અરૂણા વર્માના ઘરમાં લૂંટ ફાટ કર્યા બાદ લૂંટારૂઓએ વૃધ્ધ દંપતીના ચરણ સ્પર્શ કરીને માફી માંગી,

લૂંટારૂઓએ જતા પહેલા ઘરડા દંપતીની પગે લાગીને માફી માંગી હતી અને કહ્યુ હતુ કે, અમને માફ કરી દો, 6 મહિના બાદ આ પૈસા અને ઘરેણા અમને પાછા આપી જઈશ. જતા જતા લૂંટારૂઓ તેમને 500 રૂપિયા આપીને પણ ગયા

નવી દિલ્હીઃ દિલ્હી નજીકના ગાઝીયાબાદમાં લૂંટફાટનો એક વિચિત્ર અને આશ્ચર્યજનક કિસ્સો બન્યો છે.

અહીંના રાજનગર સેક્ટરમાં  વૃધ્ધ દંપતી સુરેન્દ્ર વર્મા અને તેમના પત્ની અરૂણા વર્મા રહે છે. તેમની ત્રણ પુત્રીઓ લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થયેલી છે. સોમવારે રાત્રે સાડા ત્રણ વાગ્યે ચાર બદમાશો નકાબ પહેરીને ગેસ કટર વડે ઘરનો ગેટ કાપીને અંદર ઘૂસ્યા હતા.

તેમની પાસે તમંચો અને ચાકુ જેવા હથિયારો હતા. દંપતીને બાંધીને તેમણે ઘરમાંથી દોઢ લાખ રૂપિયા રોકડા અને ચાર લાખના ઘરેણા લૂંટી લીધા હતા.

જોકે હેરાન કરનારી વાત એ છે કે, લૂંટારૂઓએ જતા પહેલા ઘરડા દંપતીની પગે લાગીને માફી માંગી હતી અ્ને કહ્યુ હતુ કે, અમને માફ કરી દો, 6 મહિના બાદ આ પૈસા અને ઘરેણા અમને પાછા આપી જઈશ. જતા જતા લૂંટારૂઓ તેમને 500 રૂપિયા આપીને પણ ગયા હતા.

દરમિયાન હવે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

(6:00 pm IST)