-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Wednesday, 6th October 2021
કાબુલ ઉપર કબ્જો કર્યાના હજુ બે મહિના નથી થયા ત્યાં તાલિબાન સરકારે અસલી રંગ બતાવ્યો : સોમનાથ મંદિર ઉપર 17 વખત હુમલો કરનાર મહમદ ગઝનીની કબર ઉપર જઈ તારીફ કરી : વીર યોદ્ધો ગણાવ્યો
કાબુલ : કાબુલ ઉપર કબ્જો કર્યાના હજુ બે મહિના નથી થયા ત્યાં તાલિબાન સરકારે અસલી રંગ બતાવી દીધો છે.તાલિબાની નેતા અનસ હક્કાની ગઈકાલ મંગળવારે સોમનાથ મંદિર ઉપર 17 વખત હુમલો કરનાર મહમદ ગઝનીની કબર ઉપર ગયો હતો.તથા તેની તારીફ કરી હતી.તેને વીર યોદ્ધો ગણાવ્યો હતો.
કુખ્યાત 'હક્કાની નેટવર્ક'ના તાલિબાન સરકારના નવા ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીના નાના ભાઈ અનસ હક્કાનીએ ગઝનવીને "પ્રખ્યાત મુસ્લિમ યોદ્ધા" તરીકે મહિમા આપ્યો હતો.
અનસ હક્કાનીએ એક ટ્વીટમાં લખ્યું, 'આજે અમે 10 મી સદીના પ્રખ્યાત મુસ્લિમ યોદ્ધા અને મુજાહિદ સુલતાન મહમૂદ ગઝનવીની દરગાહની મુલાકાત લીધી. ગઝનવી (અલ્લાહ અલ્લાહ) એ ગઝનીથી પ્રદેશમાં મજબૂત મુસ્લિમ શાસન સ્થાપિત કર્યું અને સોમનાથની મૂર્તિ તોડી નાખી. અનસ હક્કાનીએ ટ્વિટર પર કબરની તસવીરો પણ પોસ્ટ કરી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.
(2:07 pm IST)