Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021
અવસાન નોંધ

લીલાવંતીબેન ખખ્ખર

રાજકોટ : લીલાવંતીબેન નાથાભાઇ ખખ્ખર (ઉ.૭૧) તે નાથાભાઇ મોરારજીભાઇ ખખ્ખરના પત્નિ સંજયભાઇ અને પરેશભાઇ ભારતીબેન અને જલ્પાબેનના માતુશ્રી તથા જીતેન્દ્રભાઇ મોરારજીભાઇ ખખ્ખરના ભાભી તા. ર૯ ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું આજે તા.૧ના શુક્રવારે સાંજે પ થી ૬ ગાંધીગ્રામ શેરી નં. ર ગંગેશ્વર મહાદેવ મંદિર એસ.ક.ે ચોક ખાતે રાખેલ છે. સ્વ. લીલાવંતીબેન કિશોરકુમાર ખખ્ખર તે સ્વ. ગોવિંદજી ભગવાનજી પુજારાની સુપુત્રી તે સ્વ. રમણીકલાલ સ્વ.જયંતીલાલ, નટવરલાલ તથા ધીરજલાલ પુજારાના બહેન થાય  પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

નરેન્દ્રકુમાર કાછેલા

ઉપલેટાઃ અક્ષર નિવાસી નરેન્દ્રકુમાર તુલસીદાસ કાછેલા તે રાજુભાઇના મોટાભાઇ, સંકેત કાછેલા ભુમિકાબેન નિરવભાઇ, કાનાબાર કેશોદના પિતાશ્રી તે વિનોદરાય ત્રિકમજીભાઇ નથવાણી ધોરાજી વાળાના જમાઇનું તારીખ ૩૦ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ને શુક્રવારે લોઢીયાવાળી ડો. ટોલિયા રોડ ખાતે સાંજે ૪ થી૬ રાખેલ છે. સ્વસુર પક્ષની સાદડી સાથેરાખેલ છે.

અનસુયાબેન સાંચેલા

રાજકોટઃ મ.ક.સ.સુ. (દરજી) જ્ઞાતિના ગં.સ્વ.અનસુયાબેન સવજીભાઈ સાંચેલા (ઉ.વ.૮૫) તે કિશનભાઈ, જીતુભાઈ, મુન્નાભાઈ તથા કિનાબેન છોટુભાઈ લિબડના માતુશ્રી તથા બચુભાઈ પોપટભાઈ સાંચેલાના ભાભી તથા ભિખાલાલ તથા કિશોરભાઈ પ્રાગજીભાઈ સોલંકીના મોટાબેન તા.૩૦ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા.૨/૧૦ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સરનામું:- 'સવન સીગ્નેટ' રૈયા રોડ, આલાપ ગ્રીન સીટી પાસે તુલસી સુપર  માર્કેટની સામે, રાજકોટ

હસમુખભાઇ ગોહેલ

ગોંડલઃ મોવિયા નિવાસી હસમુખભાઇ કનુભાઇ ગોહેલ (ઉ.વ.૬૦) તેઓ ભરતભાઇ તથા અમિતભાઇ તથા હેતલબેન પરમારના પિતાશ્રી તથા ચંદુભાઇ તથા જીતુભાઇના મોટાભાઇ તા.૨૯ના રોજ અવસાન પામેલ છે. બેસણું: તા.૧ અને શુક્રવારે કડવા પટેલ સમાજ ૩ થી ૫ મોવિયા રાખેલ છે.

હિતેષભાઈ ઉપાધ્યાય

રાજકોટઃ સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ હિતેષભાઈ કાંતિલાલ ઉપાધ્યાય (ઉ.વ.૫૨) જે સ્વ.કાંતિલાલ મણિશંકર ઉપાધ્યાયના પુત્ર, સ્વ.મનહરલાલ રવિશંકર મહેતા તથા પ્રફુલભાઈ રવિશંકર મહેતાના ભાણેજ, નરેન્દ્ર અને હેતલ ઉમંગભાઈ વ્યાસના મોટાભાઈ, આશાબેનના પતિનું તા.૩૦ ગુરૂવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ શનિવારના રોજ સાંજના ૫ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન પાસે દીપક સોસાયટી કોમ્યુનિટી હોલમાં રાખેલ છે.

અશોકભાઈ  પરમાર

રાજકોટઃ ઝાલાવાડી સઈ સુથાર દરજી જ્ઞાતિના સ્વ.નાથાભાઈ ઈશ્વરભાઈ પરમારના પુત્ર સ્વ.અશોકભાઈ નાથાભાઈ પરમાર (ઉ.વ.૪૩) તા.૩૦ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ જીતુભાઈ, અતુલભાઈ, દિલીપભાઈ નાથાભાઈ પરમારના નાનાભાઈ તેમજ મનોજભાઈ નાથાભાઈ પરમારના મોટાભાઈનું બેસણું તા.૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે અત્રેશ્વર મહાદેવનું મંદિર, જીલ્લા ગાર્ડન, બાપુનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

જશવંતીબેન શાહ

રાજકોટઃ દશાશ્રીમાળી દેરાવાસી જૈન ધોરાજી નિવાસી જશવંતીબેન રસિકલાલ શાહ (૯૫) તે મોહનલાલ વનમાલીદાસ શાહ એડનવાળાના પુત્રવધુ માલતી, મીના, દત્તા, મહેશભાઇ, રાહુલ, મુકેશ, જયોતિ અને અંજુના માતા તેમજ ગલાલચંદ જેચંદશાહ માંગરોળવાળા પુત્રીનું શુક્રવારના તા.૨૪ના રોજ લંડન ખાતે અવસાન થયું છે.