Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022
માણાવદર યાર્ડના વાઇસ ચેરમેન અને પાલિકાનાં પૂર્વ પ્રમુખ જયેન્‍દ્રભાઇ કુરાણીનું અવસાન

માણાવદરઃ દશા સોરઠીયા વણિક તથા ભાજપ અગ્રણી છોડે બાજપાય, યાર્ડના વાઇસ ચેરમેન તથા પૂર્વ પાલિકા પ્રમુખ જયેન્‍દ્રભાઇ જેઠાભાઇ કુરાણી (ઉવ.૭૩)નું તા. ૨૮ને સોમવારે ટૂંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયું છે.

સ્‍વ. જયેન્‍દ્રભાઇ કુરાણી ચુસ્‍ત RSSના સંઘના પાયાના કાર્યકર તથા ઇમરજન્‍સી વખતે જેલવાસ ભોગવેલ તેમજ હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાથે કામ કરેલ અને મીસામાં જેલમાં છાપુ દેવા જતા તેવા નીકટતમ સંબધો હતો. તેઓ તાલુકામાં રાજકીય ગોડ ફાધરની ભૂમિકા ભજવતા શહેરના કોઇ પણ પ્રશ્‍ને લડાયક બની જનહિતમાં અડીખમ કામગીરી કરી હતી. તેઓ પાલીકા, યાર્ડ વાઇસ ચેરમેન, જી.પ. શિક્ષણ સમિતિ ચેરમેન સહિત અને સંસ્‍થાઓમાં કામગીરી હતી. તેઓ સ્‍વ. પ્રીતિબેનના પતિ તથા સ્‍વ. રસીકભાઇ કુરાણી, સ્‍વ.વિનુભાઇ કુરાણી, દિલીપભાઇના ભાઇ, ઉમેશના કાકા તથા પ્રિયંકા (જેડીસીસી બેંક), સોનિકાના પિતાશ્રીનું તા. ૨૮/૧૧/૨૦૨૨ સોમવારે અવસાન થયું. સદગતનું બેસણુ તા. ૨/૧૨/૨૦૨૨ શુક્રવારે સાંજે ૩ થી ૫:૩૦ કલાકે કોમ્‍યુનીટી હોલ બાગ દરવાજા ખાતે રાખેલ છે.

શહેરે એક એડીખમ આગેવાન ગુમાવતા શોકની લાગણી જન્‍મી છે. છોટે બાજપાયની છાપ ધરાવતા હતા.

અવસાન નોંધ

નંદલાલભાઇ ગોકાણી

ધોરાજી ઠા.હરિલાલ વિઠ્ઠલદાસ ગોકાણી(દારીયાવારા) ના પુત્ર નંદલાલ હરિલાલ ગોકાણી(ઉ.વ.૭૨)તે સ્‍વ. ઇશ્વરલાલ સ્‍વ.  કિશોરભાઇ મહેન્‍દ્રભાઇ જયંતીભાઇ ના ભાઇ તથા દિવ્‍યેશભાઇ,નિરીક્ષા ચૈતન્‍યકુમાર સાયાણી (રાજકોટ), સોનલબેન જીજ્ઞેશભાઇ કાનાબાર (જેતપુર) માધવીબેન હરેશભાઇ વણઝારા (જેતપુર)ના પિતાશ્રી તથા જય ના દાદા તથા સ્‍વ.વેલજીભાઇ કરસનભાઇ કાછેલાના જમાઇ તથા સ્‍વ મથુરભાઇ (રાજકોટ), અશોકભાઇ (ધાંગધ્રા), કિશોરભાઇ, મહેન્‍દ્રભાઇના બનેવીનું તા.૩૦ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧ ના સાંજના ચારથી પાંચ તેમના નિવાસ સ્‍થાન વોકળા કાંઠે રાખેલ છે. સસરા પક્ષની સાંદડી સાથે રાખેલ છે.

જીતેન્‍દ્ર પંડયા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ જીતેન્‍દ્ર રવિશંકર પંડયા (ઉ.વ.૭૨) વિરાણી સાયન્‍સ કોલેજ, તે સ્‍વ. મહેન્‍દ્રભાઇ (પોસ્‍ટ ઓફિસ) ના મોટા ભાઇ, સ્‍વ. હરગોવિંદભાઇ રતિલાલ ભટ્ટ (દેવપરા-લીમડી)ના જમાઇ તેમજ કાર્તિકભાઇ,ડો. મિલનભાઇ (મુંબઇ) અને દિનાબેન સંજયભાઇ દવે (લંડન) ના પિતાનું તા.૨૮ ના અવસાન થયુ છે. ઉઠમણું તા. ૨ને શુક્રવારના સાંજે ૫ કલાકે ચા.મ.મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ, મિલપરા મેઇન રોડ ખાતે રાખેલ છે.

રમણીકભાઇ બદ્રકીયા

રાજકોટઃ ગુર્જર સુતાર તિથવા વાળા (હાલ રાજકોટ) નિવાસી રમણિકભાઇ પરસોત્તમભાઇ બદ્રકીયા (ઉે.વ.૮૭) તે મુકતાબેનના પતિ, સ્‍વ. જેન્‍તીભાઇ, સુરેશભાઇના મોટાભાઇ તથા સ્‍વ. વિજયભાઇ, ઉષાબેન વિનોદકુમાર ભાલારા, લતાબેન ભરતકુમાર ખંભાયતા, ગીતાબેન સુધીરકુમાર નગેવાડીયા, ભાવનાબેન અરવિંદકુમાર ત્રેટીયા,  રેખાબેન પિયુષકુમાર વડગામાના પિતાશ્રી તથા જયલ, ગુંજનના દાદા તેમજ ગોવિંદભાઇ માવજીભાઇ ભાડેશીયાના જમાઇનું તા.૨૯ ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું આજે તા. ૧ને ગુરુવાર સાંજે ૫ થી ૬ અમરનાથ મહાદેવ મંદિર, અંકુર વિદ્યાલય પાસે, ગુરૂપ્રસાદ ચોક પાછળ, ખાતે રાખેલ છે.

બિપિનચંદ્ર ઉપાધ્‍યાય

રાજકોટઃ મુળ મહિકા નિવાસી, હાલ-રાજકોટ ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ બિપિનચંદ્ર વ્રજલાલ ઉપાધ્‍યાય (ઉ.વ.૭૮) તે ડો. રમણિકભાઇ અને પ્રવીણભાઇના મોટાભાઇ તથા મનીષભાઇ,હિરેનભાઇ તથા હેતલબેનના પિતાશ્રીનું અવસાન તા.૨૯ને મંગળવારે થયુ છે. સદ્‌ગતનું બેસણું (પિયર પક્ષનું પણ સાથે) તા.૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યે સોમનાથ મહાદેવના મંદિર, વૃંદાવન નગર, પુનિત નગરની બાજુમાં, પાણીના ટાંકા પાસે,૧૫૦ ફુટ રીંગરોડ, ખાતે રાખેલ છે. મો. ૯૮૨૪૮૮૨૯૩૭, મો.૮૪૬૯ ૯૯૪૮૯૪

નૌતમલાલ પંડયા

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મૂળ જીથુડી હાલ રાજકોટ સ્‍વ.મગનલાલ અવલરામ પંડયાના પુત્ર નૌતમલાલ (ઉ.વ.૮૦) તે સ્‍વ.બળવંતરાયના નાનાભાઇભાઇ, સ્‍વ.રસીકભાઇ, સ્‍વ.ભરતભાઇ, સ્‍વ.ભૂપતભાઇ, તરૂલતાબેનના મોટાભાઇ તે નિલેષભાઇ, શોભનાબેન, હર્ષિદાબેનના પિતાશ્રી તે ઋષભ, યશના દાદા તે સ્‍વ.રવિશંકર શામળજી જોષી (ત્રાકુડાવાળા)ના જમાઇનું તા.૨૯-૧૧ને મંગળવારે અવસાન થયુ છે. સદગતનું ઉઠમણું તથા બેસણું બંને પક્ષનું તા.૨-૧૨ને શુક્રવારે બપોરે ૩ થી ૫ નિલકંઠ મહાદેવ મંદિર, ગુજરાત રૂરલ હાઉસિંગ બોર્ડ, નિલકંઠ પાર્ક, રવિ પાર્કની પાછળ, કાલાવડ રોડ પાસે પુષ્‍કરધામ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે

જસવંતરાય રાજયગુરૂ

રાજકોટઃ ઔદીચ્‍ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતીના સ્‍વ.વનમાળીદાસ  દયાશંકર રાજયગુરૂના પુત્ર જસવંતરાય (જસુભાઈ) (ઉ.વ.૯૧) તે ચેતનભાઈ, નીતીનભાઈ, હેમાબેનના પિતાશ્રી, સ્‍વ.નવલશંકરભાઈ, સ્‍વ.મથુરભાઈ, સ્‍વ.ચંદુભાઈ, સ્‍વ.નરેન્‍દ્રભાઈ (બાબુભાઈ), સ્‍વ.વસંતભાઈના ભાઈ, હિમાંશુભાઈ, દીપેનભાઈ તથા માધવીબેનના કાકા તેમજ ગીરજાશંકર પ્રભાશંકર પંડયાના જમાઈનું તા.૨૫ના લંડન મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બન્‍ને પક્ષનું બેસણું  તા.૨/૧૨ને શુક્રવારના રોજ નીલકંઠ મહાદેવ જલારામ-૨, શીવસંગમ સોસાયટી મેઈન રોડ, યુનીવર્સીટી રોડ, રાજકોટ મુકામે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

હસમુખલાલ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્‍વ.હસમુખલાલ વ્રજલાલ ત્રિવેદી તે સ્‍વ.વ્રજલાલ લાભશંકર ત્રિવેદીનાં પુત્ર તે  ભાવેશભાઈ તથા હેતલબેન (પીજીવીસીએલ)નાં પિતાશ્રી તે સ્‍વ.વનમાળાબેન કિશોરચંદ્ર ત્રિવેદી (પડધરી)નાં ભાઈ તે હર્ષિતાબેન તથા હિતેષકુમાર ઓઝાનાં સસરા તે રૂદ્રનાં દાદાનો તા.૨૮નાં રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨/૧૨ને શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૫ સિધ્‍ધનાથ મહાદેવ મંદિર, શ્રી રામ પાર્ક શેરી નં.૬, પંચાયત નગર પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ભાવેશભાઈ મો.૯૯૨૫૨ ૩૦૩૦૩, હેતલબેન મો.૮૧૨૮૬ ૯૭૧૯૭.

હર્ષાબેન ઉનડકટ

રાજકોટઃ ઠા.હીતેશભાઈ કલ્‍યાણજીભાઈ ઉનડકટનાં ધર્મપત્‍નિ હર્ષાબેન (ઉ.વ.૬૧) તે ચીરાગ, અક્ષીત, ભાવીકાબેન દર્શિતકુમાર કોટકનાં માતુશ્રી, સ્‍વ.હરેશભાઈ, સ્‍વ.હર્ષદભાઈ, દિપકભાઈનાં ભાભીશ્રી તથા સ્‍વ.ઠા.વલ્લભદાસ ભીમજીભાઈ બુવારીયાનાં પુત્રી તે ભગવાનજીભાઈ, સ્‍વ.ગુણવંતરાયનાં બહેનશ્રીનું તા.૩૦નાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતની બન્‍ને પક્ષની પ્રાર્થનાસભા તા.૨/૧૨ને શુક્રવાર સાંજે ૪ થી ૬, જાગનાથ મંદિર, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શારદાબેન ગોહેલ

રાજકોટઃ મ.ક.સ.સુ. જ્ઞાતિ રાજકોટ સ્‍વ.શારદાબેન રતિલાલ ગોહેલના (મૂળ ગોમટા હાલ રાજકોટ નિવાસી) ધર્મપત્‍નિ, તેમજ રજનીકાંત રતિલાલ ગોહેલ (રાજુભાઈ), તેમજ પ્રવીણભાઈ રતિલાલ ગોહેલના માતુશ્રી, ધિરેનભાઈ રજનીકાંતભાઈ ગોહેલના દાદી તા.૨૯ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. સરનામું- આશાપુરા માતાજીનું મંદિર, નવનીત ડેરી રોડ (નિવાસસ્‍થાન પાસે) કોઠારીયા રોડ, રાજકોટ.

વિજયાબેન પિત્રોડા

ઉપલેટાઃ મેખાટીંબીના વિજ્‍યાબેન બાબુભાઇ પિત્રોડાતે સ્‍વ. રસીકભાઇ, જીવનભાઇ, પ્રવિણભાઇ, કાનાભાઇ તથા ભાનુબેનના માતૃશ્રી તથા નરેન્‍દ્રભાઇ પોપટભાઇ કારવેલીયાના સાસુ તા.૨૮ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧ને ગુરૂવારે ૯ થી ૬ સુધી તેમના નિવાસસ્‍થાન મેખાટીંબી મુકામે રાખેલ છે.

અમૃતલાલ અંબાસણા

રાજકોટઃસ્‍વ.અમૃતલાલ લક્ષ્મણભાઇ અંબાસણા(ઉંંમર૮૮) (વિરપુર વાળા) જે ગં.સ્‍વ. જશવંતિબેનના પતિ તથા સ્‍વ. પોપટભાઇ અંબાસણાના નાનાભાઇ તથા સ્‍વ.મનોજભાઇ અને સ્‍વ. રાજેશભાઇના પિતા શ્રી તથા જગદીશભાઇ અને સુધીરભાઇ કાકા તે બીનાબેન નિલેશકુમાર (નરભેરામભાઇ) તલસાણીયા (મોરબી) તથા કિરણબેન કેતનકુમાર સંચાણિયા (હાલ બેંગલોર) ના પિતા શ્રી તથા ચાંદનીબેન જયદીપકુમાર બકરાણીયા, સંજયભાઇ અને સ્‍વ. અક્ષયભાઇના દાદા તે શ્રી કિશોરભાઇ વડગામા તથા જિતેન્‍દ્રભાઇ વડગામા (ખાનપર નેસડાવાળા) વાળાના ફુવાનું  તા.૩૦ ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનુ બેસણું તા. ૨-૧૨ ના શુક્રવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ તેમના નિવાસ સ્‍થાન સહયોગ એપાર્ટમેંટ, કુવાડવા રોડ, ડી-માર્ટ મોલની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.(સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.) સંજયભાઇઃ ૯૦૧૬૩૨૨૨૨૧, જગદીશભાઇઃ-૯૯૦૯૮૦૬૭૫૬.

પ્રજ્ઞાબેન શાહ

રાજકોટઃ પ્રજ્ઞાબેન મહેન્‍દ્રભાઈ શાહ (ઉ.વ.૭૮) તે મહેન્‍દ્રભાઈ ધીરજલાલ શાહનાં ધર્મપત્‍નિ તથા ઈન્‍દ્રનીલભાઈ, હિતેશભાઈ (હીર ફેશન તથા ડેમ ફેશનવાળા), સુમીબેનનાં માતુશ્રી તથા કેતનાબેન, ચાંદનીબેન તથા અતુલભાઈ મોદીનાં સાસુશ્રી તા.૧/૧૨ ગુરૂવારનાં રોજ દેહ પરિવર્તન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨/૧૨ શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે શ્રી સીમંઘર સ્‍વામી જિન મંદિર, ૫- પંચનાથ પ્‍લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.