અવસાન નોંધ
દયાબેન જોબનપુત્રા
મોટી કુંકાવાવઃ સ્વ. છોટાલાલ ભગવાનજીભાઇ જોબનપુત્રાના ધર્મપત્ની દયાબેન (ઉ.વ.૮પ) તે ગીરીશભાઇ (જીણાભાઇ) નાં માતુશ્રી તેમજ રમેશભાઇ, દિનેશભાઇ, રાજેશભાઇ, મુકેશભાઇ, તથા જીતેન્દ્રભાઇના કાકી તેમજ સ્વ. મહેશભાઇ, પરેશભાઇ તથા મનીષભાઇના ભાભુ તેમજ અભિષેક અને હિનલનાં દાદીમાનું તા. ૧પ નાં રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૬ ને શનિવારે સાંજે ૩ થી પ કલાકે લોહાણા મહાજનવાડી મોટી કુંકાવાવ રાખેલ છે.
અમરભાઇ ઓઝા
રાજકોટ : અમર હર્ષવદનભાઇ ઓઝા (ઉ.વ.૩૮) નું તા. રના અવસાન થયેલ છે. બેસણુ તા. ૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ ખોડીયારનગર મેઇન રોડ જીઇબી પાવર હાઉસની સામે રાખેલ છે. તે જયોત્સનાબેન નાં પુત્ર તથા કાર્તિકભાઇનાં નાનાભાઇ તથા હરીશભાઇ મનસુખલાલ ઓઝાનાં ભત્રીજાનું અવસાન થયેલ છે. મો. ૯૯૯૮૧ ૮૬૦૦૧
મંજૂલાબેન ભરતભાઇ
રાજકોટ :.. મુળ મોટા દળવા હાલ રાજકોટ સ્વ. લવજીભાઇ ભગવાનજીભાઇના પુત્ર તે ભરતભાઇના ધર્મપત્ની (ઉ.વ.૬૦) સ્વ. મંજૂલાબેન તે સ્વ. ગીરીશભાઇ, સુરેશભાઇ તથા પ્રફુલભાઇ તથા વર્ષાબેન એ. ભટ્ટીના ભાભી તેમજ કેતનભાઇ, હેતલબેન મોહિતકુમારના માતુશ્રી, તેમજ મીતેષ, ધવલ, પાયલ, તથા પુજાના ભાભુ તેમજ કુનાલ તથા માહિરનાં દાદીમા, તેમજ જેતપુરવાળા સ્વ. ધનજીભાઇ જીવાભાઇ ભાયાણીનાં દિકરી તેમજ ચંદ્રીકાબેન (મેંદરડા) નંદાભાઇ તથા સ્વ. ભયલાભાઇના બેન તથા મોહિતકુમાર, લાલજીભાઇ ગોહેલના સાસુમાનું તા. ૩-૧૧ ના અવસાન પામેલ છે. તેમનું બેસણુ તા. ૬ ને શનિવારે છે. શાંતેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે. ગોવિંદનગર મેઇન રોડ, ખાતે ૩ થી પ કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.
પીયર પક્ષનું બેસણું કપીલભાઇ ભયલાભાઇ ભાયાણીનાં નિવાસ સ્થાને તા. ૮ ને સોમવારનાં જેતપુર મુકામે રાખેલ છે. મો. ૯૪ર૭પ ૬૪૯૪૬ કેતનભાઇ પાડલીયા
કિશનભાઇ પોપટ
મોરબી : મોટા દહિસરા વાળા હાલ મોરબી કિશનભાઇ દિનેશભાઇ પોપટ (ઉ.વ.રર), તે દિનેશભાઇ હંસરાજભાઇ પોપટના પુત્ર, રાજકોટવાળા ઠા. રસીકલાલ શાંતિલાલ ઠકરારના દોહિત્ર તેમજ કેતનભાઇ તથા મેહુલભાઇના ભાણેજનું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૯ ના સોમવારે પ વાગ્યે શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી, રોડ, મોરબી ખાતે રાખેલ છે.
સરોજબેન કાથરાણી
મોરબી : સ્વ. મનસુખલાલ અંબારામભાઇ કાથરાણીના ધર્મપત્નિ સરોજબેન (શાંતાબેન) તે ચંદ્રેશભાઇ (કનુભાઇ), રાજૂભાઇ, રીટાબેન, ચંદ્રીકાબેન, સ્વ. દક્ષાબેનના માતુશ્રી તેમજ કલ્યાણજીભાઇ મોરારજીભાઇ મીરાણી (ખેવારીયા વાળા) ના દિકરીનું તા. ર મંગળવારે અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. ૬, શનિવારે સાંજે પ વાગ્યે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી રાખેલ છે.
જયંતિલાલ આશરા
રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય જેતપુરવાળા જયંતીલાલ પરસોતમ આશરા તા.૩ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હરેશભાઈ તથા સ્વ.દિપકભાઇના પિતા તથા ભાવીનના દાદાનું ટેલીફોનીક બેસણું તા.૬ના રોજ સાંજે ૪:૩૦ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.
અરૂણાબેન મહેતા
રાજકોટઃ સ્વ.ઉમેદચંદ જેઠાલાલ મહેતાના પુત્ર સ્વ.પ્રતાપભાઈના ધર્મપત્નિ અરૂણાબેન (ઉ.વ.૭૨) તા.૩ બુધવારના રોજ અરીહંત શરણ પામેલ છે. સદ્દગતે ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હસમુખરાય શાહ
રાજકોટ : સ્થાનકવાસી જૈન અમરેલી નિવાસી હાલ ચેન્નાઈ હસમુખરાય ભાઈચંદ શાહ (હેમાણી) (ઉ.વ.૭૬) તેઓ રમાબેન ભાઈચંદ હેમાણીના પુત્ર, તેઓ શોભનાબેન વાડીલાલ દોશી (માલેંગાવ)ના પતિ તેઓ મનીષ, હિતેશ તથા માનસી હેમલ મહેતાના પિતા તેઓ અમી મનીષ શાહ, સોનુ હિતેશ શાહના સસરા, તેઓ મંજુબેન મનહરલાલ દેસાઈ, ભારતીબેન ચંદ્રકાંત દેસાઈ, અરૂણાબેન પ્રવિણકુમાર ઘેલાણી, અમીતા અરવિંદ કોઠારી, સ્વ.શ્રી નીરૂબેન મિલન મહેતાના ભાઈ, તેઓ મૈત્રી મનીષ શાહના દાદા, તેઓ ધ્વીતી હેમલ મહેતાના નાના તા.૩૦ના શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
યશવંતભાઈ મહેતા
રાજકોટ : જાયવા નિવાસી હાલ રાજકોટ સ્વ.હેમચંદભાઈ મહેતાના પુત્ર યશવંતભાઈ (ઉ.વ.૭૬) તે સ્વ.નવીનભાઈ, રાજેશભાઈ, કુસુમબેન મણીયાર, જયોત્સનાબેન સંઘાણી, હર્ષાબેન દોશીના ભાઈ, હિમાંશુ, ધર્મેશ જીતેન, તન્વીબેન કૌશલકુમાર મેઘાણીના પિતા, ચંદ્રેશ, વૈભવીના ભાઈજી તથા સ્વ.જગજીવન ઓધવજી પારેખના જમાઈ તા.૩ના બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૫ના રોજ સોમવારે સવારે ૧૦ વાગ્યે શ્રી વિરાણી વાડી, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.
નિર્મળકુમાર ઠાકર
રાજકોટ : (મોરબી) મુળ ટંકારા નિવાસી સ્વ.ત્રંબકલાલ ભાઈશંકર ઠાકરના પુત્ર સ્વ.નિમળકુમાર ટી.ઠાકર જે રવિ તથા જેતલબેન રાવલના પિતા તથા બી.ટી.ઠાકર જે.ટી. ઠાકર, આર.ટી.ઠાકરના નાનાભાઈ તથા દિપેશકુમાર ડી. રાવલના સસરાનું તા.૩ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને સોમવારના રોજ ૪ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને નંદનવન સોસાયટી, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.