Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022
અવસાન નોંધ

રામસિંહભાઇ પરમાર

રાજકોટ : રામસિંહભાઇ હરિસિંહભાઇ પરમાર (ઉ.વ.૮૦) તે આર. એમ. સી. ના પર્યાવરણ ઇજનેર નિલેશભાઇ પરમાર તથા શીતલ ગીફટ ટોયઝ વાળા સંગિતેષભાઇ પરમારના પિતાશ્રી તથા રાજ, ઋષિક, શુભમ, અને નિધિના દાદાશ્રી તથા શ્રી મુરલીધર હાઇસ્‍કુલના શિક્ષક અતુલભાઇ સોલંકીના સસરાનું તા. પ ના અવસાન થયેલ છે.

સદ્‌્‌ગતનું બેસણું તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ અભય ભારદ્વાજ હોલ, પેરેડાઇસ હોલની બાજુમાં, ઇન્‍ડિયન પાર્ક, ગણેશ વિદ્યાલયની બાજુમાં રાખેલ છે. 

ધનજીભાઇ ચારોલા

વાંકાનેર : પંચાસિયા નિવાસી હાલ વાંકાનેર ધનજીભાઇ નરશીભાઇ ચારોલા (ઉ.વ.૭પ) તે સ્‍વ. પ્રવિણભાઇ તથા લલીતભાઇના પિતાશ્રી તેમજ નરભેરામભાઇ, સ્‍વ. કાંતીભાઇ, કિશોરભાઇ, નટુભાઇ તથા બળવંતભાઇના કાકાનું તા. ૬ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાણંદ સમાજની વાડી વાંકાનેર ખાતે રાખેલ છે.

હિરાલાલ મહેતા

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ હિરાલાલ મૂળશંકરભાઈ મહેતા (ઉ.વ.૮૭) તે વિરપુર (જલરામ) વાળા સ્‍વ.મૂળશંકરભાઈ દવેના જમાઈ તથા કલાવતીબેનના પતિ તથા ભાવેશ, ધર્મેશ, પ્રજ્ઞેશ, મીનાક્ષીબેન, કોકિલાબેન અને રશ્‍મિબેનના પિતાશ્રી તા.૬ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે હરિહર કોમ્‍યુનિટી હોલ, હરિહર સોસાયટી, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ગંગાબા ઝાલા

રાજકોટઃ મુળ ગામ રાતીદેવળી હાલ વાંકાનેર ગંગાબા બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૯૫) તે ભુપતસિંહ, ગણપતસિંહ અને સ્‍વ.સિધ્‍ધરાજસિંહના માતુશ્રીનું તા.૬ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, દરમિયાન અમોના નિવાસસ્‍થાન વૃંદાવન વાટીકા સોસાયટી, જડેશ્વર રોડ, વાંકાનેર ખાતે  રાખ્‍યું છે.

ચિરાગ કોટેચા

રાજકોટઃ પ્રવિણચંદ્ર અમૃતલાલ કોટેચાના પુત્ર સ્‍વ.ચિરાગ (ઉ.વ.૩૬) તે સ્‍વ.આશિષ કોટેચાના નાનાભાઈ તથા સ્‍વ.હરસુખભાઈ હરજીવનભાઈ કોટેચા, સ્‍વ.ધિરજલાલ હરજીવનભાઈ કોટેચા, ભરતભાઈ કોટેચા, જયેશભાઈ કોટેચા, મનસુખભાઈ ચુનીલાલ કોટેચાના ભત્રીજા તા.૬ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજના ૫ થી ૬ કલાકે શ્રી રામવાડી  કરણપરા શેરી નં.૩ ખાતે રાખેલ છે. મોસાળપક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે.