Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવામાં યોગદાન આપનાર શિવલાલભાઇનું અવસાન

ભાવનગર તા.૩ : ભાવનગર ઉદ્યોગપતિ, દાતા અને અલંગશીપ બ્રેકીંગ યાર્ડના પાયાના સ્થાપકોમાના શ્રી શિવલાલભાઇ  જેરામભાઇ (દાઠાવાળા) પડીઆ ઉ.વ.૯૭નું નિધન થયુ છે.

મુળ દાઠા (તળાજાનું)ના વતની શિવલાલભાઇ જેરામભાઇ પરિશ્રમ અને સંઘર્ષ કરી આગળ આવેલા. દ્રઢ મનોબળ, શ્રમના સથવારે પોતાની કારકિર્દી બનાવી. દાઠાવાળા ટ્રાન્સપોર્ટની પેઢી તળે નામના મેળવી અહીંની ભાવનગર સહકારી પેટ્રોલપંપ લી.ના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવાઆપી ભાવનગર મોટર સંઘ સંસ્થાના પીઢ અગ્રણી તરીકે માર્ગદર્શક બની કાર્ય કર્યુ હતુ.

વિશ્વ વિખ્યાત પામેલ ભાવનગરનો અલંગ શીપ બ્રેકીંગ ઉદ્યોગ શરૂ કરવામાં શિવલાલભાઇનું યોગદાન હતુ. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ અને સમાજના કાર્યો કર્યા. દાતા પરંતુ પોતાની પબ્લીસીટીમાં ન માનતા.

ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકીયાના પિતાશ્રીનું અવસાન

ધોરાજી : વૃક્ષપ્રેમી નાગજીભાઇ પદમાભાઇ માથુકીયા (ઉ.૮૪) તે ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકીયાના પિતાશ્રી તેમજ લલીતભાઇ માથુકીયાના પિતાજીનું તા.ર/૧૧ ના રોજ અવસાન થયું છે.

સદ્દગતની અંતિમ યાત્રામાં રાજકીય સામાજીક સંસ્થાના હોદ્દેદારો અગ્રણીઓ અને પરીવારજનો જોડાયા હતા અને સદ્દગતની વૃક્ષો ઉછેર કરવા સહીતની સેવાઓને બીરદાવી શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હતા. બેસણું તા.૪/૧૧ને ગુરૂવારે સવારે ૯ થી ૧ર દરમ્યાન આનંદનગર હનુમાન મંદિર ખાતે રાખેલછે.

મોરબી મારૂ રાજપૂત મેહુલભાઇ મકવાણાનું અવસાનઃ સોમવારે બેસણું


રાજકોટઃ મોરબી મારૂ રાજપૂત સમાજના યુવા અગ્રણી મેહુલભાઇ મકવણાનું આજે તા.૬ને શનિવારે દુઃખદ અવસાન થયું છે.  સદ્દગતનું બેસણુંતા.૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ ગોપાલ સોસાયટી, મોરબી ખાતે રાખેલ છે.