Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021
ધનકુંવરબા ઝાલાનું અવસાનઃ ૧૨મીએ નાથદ્વારા પાર્કમાં બેસણું

રાજકોટઃ મુળ એંજાર નિવાસી હાલ રાજકોટ ધનકુંવરબેન મોહનસિંહ ઝાલા તેઓ મહાવીરસિંહ મોહનસિંહ ઝાલાના માતુશ્રી, ખુમાનસિંહ ઉદેસિંહ ઝાલાના ભાભીશ્રી તથા સહદેવસિંહ મનુભા અને નરેન્દ્રસિંહ મનુભા ઝાલાના કાકીમા તેમજ રાજેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ અને કિશોરસિંહના મોટા બાનું તા. ૮-૨ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૧૨ના શુક્રવારે સાંજે ૪ થી ૬, રેલનગર-૨ નાથદ્વારા પાર્ક શેરી નં. ૪ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા ૧૪/૨ના રોજ રાખેલ છે.

અવસાન નોંધ

પોરબંદર ડો.ગોઢાણીયા સંકુલના કમલેશભાઇ થાનકીના પિતાનું નિધન

પોરબંદરઃ ડો.ગોઢાણીયા સંકુલ ટ્રસ્ટના પર્સનલ આસીસ્ટન્ટ કમલેશભાઇ થાનકીના પિતા ભીખુભાઇ વલ્લભદાસ થાનકી (ઉ.વ.પ૭) તે શોભનાબેનના પતિ, રતીભાઇના લઘુબંધુ, વંદનાબેનના પિતાશ્રીનું તા.૮ ના અવસાન થયું છે. બેસણું તા.૧રના શુક્રવારે સાંજે ૪ થી પ તેમના નિવાસસ્થાન શ્રીજીધામ આર.કે.અગરબતી પાસે જુબેલી-ખાપટ રોડ પોરબંદર છે.

  પ્રફુલભાઇ નાગર

રાજકોટઃ પ્રફુલભાઇ મણીલાલ નાગર (જુનાગઢવાળા હાલ રાજકોટ) (ઉ.વ.૫૨) નું દુઃખદ અવસાન તા.૮ના રોજ થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૯ને મંગળવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. હાલની પરિસ્થિતિ ધ્યાનમાં લઇને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. શ્રી બાબુભાઇ નારણભાઇ નાગર, ભરતભાઇ બાબુભાઇ નાગર (૯૯૭૯૦ ૩૫૬૩૧), સંજયભાઇ બાબુભાઇ નાગર (૯૭૨૫૯ ૯૦૯૨૫), કિશનભાઇ પ્રફુલભાઇ નાગર (૭૦૪૮૫ ૦૬૯૯૬)

નર્મદાબેન શિંગડીયા

માણાવદરઃ મૂળ બુરી ગામ નિવાસી સ્વ.નર્મદાબેન દેવજીભાઇ (બચુભાઇ) શિંગડીયા (ઉ.વ.૯૦) તે જેન્તીભાઇ (પોસ્ટવાળા) અને શાંતીભાઇ (ભગત)ના માતુશ્રીનું તા.૭ મીએ રવિવારના રોજ અવસાન થયેલ છે.

વિજયાબેન ટાંક

ઉપલેટા : ગુર્જર ક્ષત્રિય કડીયા સ્વ.ગોવિંદભાઇ રામજીભાઇ ટાંક (રાજકોટ નાગરીક બેંક)ના ધર્મપત્ની વિજયાબેન (ઉ.૬૪) તે કેશુભાઇના નાનાભાઇના પત્ની તથા પરેશભાઇ (પાયલ ઓરકેસ્ટ્રા)ના માતૃશ્રી તા.૮-૨ સોમવારે અવસાન પામ્યા છેે. તેમનું બેસણું તા.૧૧ને ગુરૂવારે ૪ થી ૬ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની વાડી બાપુના બાવલા ચોક ઉપલેટા મુકામે રાખેલ છે.

મહેશકુમાર મહેતા

વાંકાનેર : સ્વ.રમણિકલાલ કપુરચંદ મહેતાના જયેષ્ઠ પુત્ર મહેશકુમાર (ઉ.૭૧) તેઓ કંચનલાલ કપુરચંદ સાવરીયા (પોરબંદરવાળા)ના જમાઇ તથા નલીનભાઇ, પ્રદિપભાઇ, સ્વ.હિતેશભાઇ તથા વર્ષાબહેનના મોટાભાઇ તેમજ દર્શનભાઇ, પ્રિયાંકભાઇ તથા વૈશાલીબહેનના પિતાશ્રી તા.૮-રના સોમવારના રોજ અરિહંતશરણ થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૯ને મંગળવારના રોજ બપોરે ૪ કલાકે રાખેલ છે.

મંજુલાબેન મહેતા

મોરબી : મંજુલાબેન દલસુખભાઇ મહેતા તે સ્વ.દલસુખભાઇ કાલિદાસ મહેતાના પત્ની તેમજ ઉજ્જવલ દલસુખભાઇ મહેતા અને પ્રિતીબેન કલ્પેશભાઇ જોશી (જામનગર)ના માતાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૦ ને બુધવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રીજીપાર્ક આનંદનગર પાછળ મોરબી ખાતે રાખેલ છે.

વજીબેન કાલરીયા

મોરબી : વજીબેન ભુરાભાઇ કાલરીયા તે કાંતિભાઇ કાલરીયાના માતા તેમજ અમિતભાઇ કાલરીયાના દાદીમા તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.૧૧ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, ઉમા ટાઉનશીપ પાસે મોરબી-ર ખાતે રાખેલ છે.

રમાબેન સીધ્ધપુરા

રાજકોટ : (લુહાર) સ્વ. નરોતમભાઇ કચરાભાઇ સિધ્ધપુરાના પત્ની ગં.સ્વ. રમાબેન તે સ્વ. રમેશભાઇ, નલીનભાઇ, બકુલભાઇ, સરલાબેનના માતૃશ્રીનું તા. ૮ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૧ ને ગુરૂવારે ૩ થી ૫ રાખેલ છે.

રતનબેન દસાડીયા

રાજકોટ : વાણંદ રતનબેન ગોવિંદભાઇ દસાડીયા (ઉ. વર્ષ ૮૫) તે ઠાકરશીભાઇ તથા સ્વ. નટુભાઇ દસાડીયા તથા ગુણીબેન કે સુરાણીના માતૃશ્રી તથા મનિષભાઇ તથા કમલેશભાઇના દાદી તથા પ્રેમજીભાઇ ઠોરીયાના બહેનનું તા. ૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૧ ગુરૂવારે વાણંદ સમાજની વાડી લક્ષ્મીનગર ખાતે સાંજે ૩ થી ૫ રાખેલ છે. મો. નં. ૯૯૨૫૯ ૧૨૧૭૭ તથા મો. નં. ૯૩૭૫૭ ૮૨૩૨૫ છે.

જીલુભા ડાભી

રાજકોટ : ગુર્જર રાજપૂત જીલુભા રામસિંહજી ડાભી, (ઉવ. ૭૬) તે સ્વ. રામસિંહજી વિરાજી ડાભીના સુપુત્ર તેમજ હેમંતસિંહ રામસિંહજી ડાભી અને પ્રભાતસિંહ રામસિંહજી ડાભી (નાનુભાઇ)ના મોટાભાઇનું તા. ૮ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૧૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ નાગર બોર્ડીંગ, હાટકેશ્વર મંદિર, વિરાણી હાઇસ્કુલ સામે, ટાગોર રોડ ખાતે રાખેલ છે.