Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021
પત્રકારત્‍વ ભવનના અધ્‍યક્ષ નીતાબેન ઉદાણીના માતુશ્રી ચંદ્રમણીબેનનું દુઃખદ અવસાન

રાજકોટઃ ચંદ્રમણીબેન નવીનભાઈ પરીખ (કડવીબાઈ વિરાણી કન્‍યા વિદ્યાલયના પૂર્વ શિક્ષિકા) (ઉ.વ.૮૪) તે સ્‍વ.નવીનભાઈ બી.પરીખ (જનસતાના પૂર્વ ચીફ સબ એડિટર)ના ધર્મપત્‍નિ, તે નીતાબેન ઉદાણી (અધ્‍યક્ષ, પત્રકારત્‍વ ભવન, સૌરાષ્‍ટ્ર યુનિ.), સ્‍વ.અભિલાષભાઈ પરીખના માતુશ્રી અને વિરલભાઈ ઉદાણી (રાજકોટ રેલ્‍વે)ના સાસુમા તથા નિશાંત અને હિતાર્થના નાનીમાનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. તેમના આત્‍માની શાંતિ માટે સ્‍વઘેરથી ધર્મ આરાધના કરવા અનુરોધ કરાયો છે. લૌકિક ક્રિયા બંધ છે.

અવસાન નોંધ

દમયંતીબેન શાહ

રાજકોટ : જૈન વણિક માંગરોળ નિવાસી હાલ રાજકોટ દમયંતીબેન નેમીદાસ શાહ તે સ્વ.નેમીદાસ છોટાલાલ શાહના ધર્મપત્નિ, નિલેશ નેમીદાસ શાહ, મધુબેન કીરીટભાઈ કામદાર, મીનાબેન જયોતિનભાઈ કોઠારી (લંડન), ભાવનાબેન મુકેશભાઈ ગોસલીયા (પોરબંદર), નીતાબેન મનોજભાઈ ભાયાણી (ભાવનગર)ના માતુશ્રી, અલ્કા શાહના સાસુ, વિરાજ તથા પ્રિન્સીના દાદીમા તા.૧૧ને ગુરૂવારના અરિહંત શરણ પામેલ છે. જેમનું ટેલીફોનિક બેસણું તા.૧૨ને શુક્રવારના સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે. લિનેશ શાહ - મો.૯૪૦૮૦ ૪૬૯૫૦, ૯૯૨૫૧ ૨૯૮૫૮, અલ્કા શાહ - ૯૪૨૮૨ ૭૬૭૮૮.

પ્રેમજીભાઈ વસાણી

રાજકોટ : પ્રેમજીભાઈ મોહનભાઈ વસાણી (નાજાપુર નિવાસી) હાલ રાજકોટ (ઉ.વ.૭૫) તા.૧૦ના બુધવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.૧૩ શનિવારે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ટેલીફોનિક બેસણું રાખેલ છે. રાજેશભાઇ પ્રેમજીભાઈ વસાણી, પલ્લવી રાજેશભાઈ વસાણી, સ્વનૈય રાજેશભાઈ વસાણી, મનીષાબેન અશોકભાઈ કથીરીયા, પારૂલબેન પ્રવિણભાઈ કાબરીયા મો.૮૮૦૪૦ ૩૩૩૩૩, ૯૮૨૫૨ ૩૦૭૨૧.

નગીનદાસ અવલાણી

રાજકોટઃ છત્રાસા નિવાસી હાલ રાજકોટ સ્વ. પ્રભાકુંવરબેન તથા સ્વ. દામોદરભાઈ લીલાધરભાઈ અવલાણીના પુત્ર નગીનદાસ દામોદરભાઈ અવલાણી (ઉ.વ. ૮૦) તે નિરૂપમાબેન અવલાણીના જીવનસાથી તથા અજયભાઈ અવલાણી તથા મિતાબેન શાહના પિતાશ્રી તેમજ તે ડિમ્પલભાઈ જયંતિભાઈ શાહ (સુરત) તથા કિંજલબેન અજયભાઈ અવલાણીના સસરા તથા સ્વ. પ્રાણલાલભાઈ અવલાણી, સ્વ. મૃદુલાબેન ઉત્તમચંદ પુંજાણી (પુના), સ્વ. મંજુલાબેન પ્રતાપભાઈ શાહ (દિલ્હી), જયંતીભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. કનકભાઈના નાના ભાઈ તેમજ સ્વ. સરોજબેન જગદીશભાઈ મહેતા (મુંબઈ)ના મોટાભાઈ તેમજ સ્વ. રતિલાલ જટ્ટાશંકરભાઈ પારેખના જમાઈ રાજકોટ મુકામે તા. ૧૦ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. સદ્ગતે ચક્ષુદાન કરેલ છે. બન્ને પક્ષે સદ્ગતનું ટેલિફોનિક બેસણુ - સાદડી શુક્રવાર તા. ૧૨ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. અજયભાઈ અવલાણી (મો. ૯૩૭૪૧ ૮૭૧૭૫), કિંજલબેન અવલાણી (મો. ૯૩૭૬૦ ૮૭૧૭૫), મિતાબેન શાહ (મો. ૯૩૭૭૨ ૨૪૦૦૦), અમિતભાઈ અવલાણી (મો. ૯૮૭૯૮ ૭૨૨૭૭)નો સંપર્ક થઈ શકશે.

શૈલેષભાઈ ભટ્ટ

રાજકોટ : શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવીય કૌશિક ગોત્ર પાઠક ભટ્ટ પરિવારના સ્વ.પ્રદ્યુમનભાઈ નવલરામભાઈ ભટ્ટના પુત્ર, ગીતાબેનના પતિ, રોહનભાઈ તથા વિશ્વાબેનના પિતાશ્રી તેમજ સ્વ.ચંદુલાલ ઝવેરચંદભાઈ દોશીના જમાઈ તથા દિપકભાઈ ચંદુલાલ દોશીના બનેવી શૈલેષભાઈ પ્રદ્યુમનભાઈ ભટ્ટ (નિવૃત પી.એફ. ઓફીસ) (ઉ.વ.૬૫)નું તા.૮ને સોમવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. બંને પક્ષનું ટેલીફોનિક બેસણું તા.૧૨ને શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. રોહનભાઈ શૈલેષભાઈ ભટ્ટ - મો.૮૧૨૮૬ ૯૦૯૨૭, ગીતાબેન શૈલેષભાઈ ભટ્ટ - મો.૮૧૨૮૬ ૯૦૯૨૬.

જીજ્ઞેશભાઈ ભટ્ટ

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રી ગોળ માળવીય બ્રાહ્મણ નૃસિંહ મંદિર પૂજારી પરિવારના જીજ્ઞેશભાઈ ભરતભાઈ ભટ્ટ (પિન્ટુભાઈ) તે સ્વ.ભરતભાઈ મણિશંકર ભટ્ટના પુત્ર તથા વિવેકભાઈ, વિરાજભાઈના પિતાશ્રી તે સ્વ.કવિરાજભાઈ, ધીરેનભાઈ, જયદીપભાઈ, નયનભાઈ, બિંદયાબેન કુણાલકુમાર જોષીના ભાઈ તે ચકકરગઢ નિવાસી સ્વ.શંકરલાલ કાશીરામ જોષીના જમાઈ તે યશવંતભાઈ, રસિકભાઈ, મનહરભાઈના બનેવીનું તા.૯ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું ઉઠમણું તથા બેસણું તા.૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવની વાડી માસ્તર સોસાયટી ખાતે રાખેલ છે.

રમાબેન કકકડ

રાજકોટઃ ગં.સ્વ.રમાબેન જે. કકકડ (ઉ.વ.૮૪) તે (પુષ્કરવાળા) સ્વ.જેન્તીલાલ દુર્લભજીભાઈ કકકડના ધર્મપત્નિ તે સ્વ.મીનેશભાઈ તથા અરવીંદભાઈ, શૈલેષભાઈ, ઈલેશભાઈ, રૂપેશભાઈ, નીલેશભાઈના કાકી તથા સ્વ.શામજીભાઈ રતનશીભાઈ પંચમતીયાના પુત્રી તા.૧૦ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા સાદડી તા.૧૨ના શુક્રવાારે ૪ થી ૫ વાગ્યા સુધી રાખેલ છે. અરવીંદભાઈ મગનલાલ કકકડ મો.૯૬૮૭૧ ૮૯૦૦૪, શૈલેષભાઈ ગોકલદાસ પંચમતીયા મો.૯૪૨૬૯ ૭૨૪૧૭

કુંદનબેન જોષી

રાજકોટઃ ચોરવાડી ગીરનારા બ્રાહ્મણ અ.સૌ કુંદનબેન વિષ્ણુભાઇ જોષી તે વિષ્ણુભાઇ જોષીના ધર્મપત્ની, તથા નેહલબેન, ખ્યાતીબેન તથા પુનિતભાઇના માતુશ્રી તથા ગં.સ્વ. લીનાબેન ભગવતીભાઇ ઠાકર (મુંબઇ)ના ભાભીશ્રી તથા નિરૂભાઇ, ભરતભાઇ તથા હેમંતભાઇ ઠાકર (મુંબઇ)ના બહેનની તા. ૯ના શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૧૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન મહેતા

રાજકોટ : જામદુધઇ વાળા સ્વ. પ્રકાશભાઇ શાંતીલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. મંજુલાબેન તે સ્વ. ઘનશ્યાભાઇ તથા શૈલેશભાઇના ભાભી તથા સ્વ. ઇશ્છા શંકર શિવ રામભાઇ ભટ્ટના પુત્રીનું તા. ૧૦ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા રાખેલ નથી. ટેલિફોનીક મો. નં. ૮૭૫૮૭ ૫૦૯૨૧ તથા મો. નં. ૬૩૫૮૩ ૪૪૪૭૭, મો. નં. ૯૭૧૪૦ ૨૧૦૭૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

જયંતીભાઇ છગનલાલ

રાજકોટ : વાછરા નિવાસી સ્વ. છગનભાઇ વાઘજીભાઇ અનમીના પુત્ર જયંતિભાઇ છગનભાઇ અનમી (ઉ.વર્ષ ૬૪) તે હંસાબેન કેસરીયા (બગસરા) પ્રવિણભાઇ (ગોંડલ) ખીમચંદભાઇ (વાછરા)ના નાનાભાઇ તે ઇલાબેનના પતિ તે શાંતિલાલ કેશવજી શીંગાળાના જમાઇ તે હરીશભાઇ શીંગાળા યોગેશભાઇ શીંગાળા, બકુલભાઇ શીંગાળાના બનેવી તા. ૯ના શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ઉઠમણુ તેમજ પીયર પક્ષની ટેલીફોનીક સાદડી તા. ૧૧ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઇ મો. નં. ૭૯૮૪૮ ૯૩૨૫૫ તથા ખીમચંદભાઇ મો. નં. ૯૯૦૪૭ ૧૪૪૬૫ અને યોગેશભાઇ મો. નં. ૯૪૨૮૩ ૪૬૪૪૧ છે.

ચંદુભાઇ કક્કડ

રાજકોટ : ચંદુભાઇ માવજીભાઇ કક્કડ (ઉવ.૮૫) તે રાજેશભાઇ, કિર્તીબેન મહેન્દ્રકુમાર પોપટ, હર્ષિદા યોગેશભાઇ મોનાણીના પિતાશ્રીનું તા. ૧૦ના અવસાન થયેલ છે. તેમનુ ટેલિફોનીક બેસણુ તા. ૧૨ને શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૮૨૪૮ ૫૪૯૦૮.

સારાબેન લાઠીવાળા

રાજુલા : મર્હુમ ગુલામેઅબ્બાસ હસનઅલી માંકડા (કાચવાલા)ના બૈરો મર્હુમા સારાબેન મહંમદઅલી લાઠીવાળા (ઉ.૮૦) તે મર્હુમ મોઇઝભાઇ, કુતુબભાઇ, નીલોફરબેન (બાબરા), મુનીરાબેન (રાજકોટ), રજીયાબેન (અમદાવાદ), સલમાબેન (કરાંચી)ના માતાજી તથા શબ્બીરભાઇ, મુસ્તુફાભાઇ, સકીનાબેન (લીંબડી) તથા અમતુલ્લાના દાદીમા, જાકીરભાઇ, ઇનાયતભાઇ (લાઠી)ના બહેન તા.૮ને સોમવારે ખુદાની રહેમતમાં પહોચેલ છે.

મયુરભાઇ રાજ્યગુરૂ

રસનાળ : ગામ બુધેલ (હાલ સુરત), મોઢ બ્રાહ્મણ (ખી.સ) સ્વ.મયુરભાઇ અશોકભાઇ રાજયગુરૂ (ઉ.૩૪) તેઓ જગન્નાથભાઇ નાથાલાલ રાજયગુરૂ તથા અનસુયાબેન જગન્નાથભાઇ રાજયગુરૂના પૌત્ર તેમજ અશોકભાઇ જગન્નાથભાઇ રાજયગુરૂના પુત્ર તેમજ ગોપાલભાઇ અશોકભાઇ રાજયગુરૂના મોટાભાઇનું તા.૭મીએ અવસાન થયું છે. બેસણું તા.૧૧ ને ગુરૂવારે બપોરે ૩ થી ૬ યોગેશભાઇ અનંતરાય રાજયગુરૂના નિવાસસ્થાને ગામ બુધેલ, તા.ભાવનગરમાં રાખેલ છે.

ઇન્દીરાબેન પરમાર

ગોંડલ : હસમુખભાઇ કેશવભાઇ પરમારે (પાંચવડાવાળા)ના પત્ની ઇન્દિરાબેન (ઉ.૬૬) તે મુકેશભાઇના ભાભી, મેહુલભાઇ, જિજ્ઞેશભાઇ, આરતીબેન તથા સોનલબેનના માતૃશ્રીનું તા.૭ રવિવારના અવસાન થયું છે. બેસણું તા.૧૧ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અઝીઝભાઈ હાથી

વાંકાનેરઃ અઝીઝભાઈ સાદકઅલી હાથી (ઉ.વ. ૫૪) તે ઝેનમબેન (મોરબી) તથા જુમાનાબેનના બાવાજી તથા સૈફુદીનભાઈ અને ફરીદાબેન (રાજકોટ)વાળાના ભાઈ તેમજ મહંમદભાઈ અને જુઝરભાઈના કાકા તા. ૧૦ના જન્નત નશીન થયેલ છે. મર્હુમના જયારતના સીપારા તા. ૧૨ને શુક્રવારે સવારે ૧૧.૦૦ વાગ્યે સૈફી મસ્જીદ નાનીબજાર, વાંકાનેર રાખેલ છે.

વૃજલાલભાઈ કાગડા

વાંકાનેરઃ કંસારા વલ્લભદાસ કરશનદાસ કાગડાના મોટા પુત્ર વૃજલાલભાઈ (વજુભાઈ) (ઉ.વ. ૮૭) તે હરેશભાઈ (કાનાભાઈ)ના પિતાશ્રી, તે મિત અને દેવના દાદાશ્રી તા. ૯ મંગળવારના રોજ ઠાકોરજી ચરણ પામેલ છે. બેસણુ તા. ૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રામજી મંદિર, રામચોક વાંકાનેર ખાતે રાખેલ છે.

હંસાબેન પંડયા

આમરણઃ જામનગર નિવાસી સ્વ. આર.એમ. પંડયા (જેલર)ના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ. ૭૫) (નિવૃત શિક્ષિકા મ્યુનિ. પ્રા. શાળા) તે સ્મિતાબેન ભરતકુમાર પંડયા તથા હિનાબેન વિજયકુમાર મહેતાના માતા તેમજ પ્રિયંક અને ધૈર્યના નાનીમાનુ તા. ૧૦ના રોજ અવસાન થયું છે.

રમાબેન ભટ્ટ

મોરબીઃ ઔ.ક્ષ. (ઔ.ગુ.સા.ચા. બ્રાહ્મણ) મૂળ પીપળીયા હાલ મોરબી ગં.સ્વ. રમાબેન પ્રતાપરાય ભટ્ટ (ઉ.વ.૮૮) તે સ્વ. પી.પી. ભટ્ટ (વી.સી. હાઈસ્કૂલ)ના ધર્મપત્ની તેમજ જયેન્દ્રભાઈ (જે.પી. ભટ્ટ)ના માતુશ્રી અને અર્પિતના દાદી તા. ૧૦ના રોજ કૈલાષવાસ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ (મો. ૯૯૨૫૪ ૫૧૧૩૮, ૯૦૩૩૩ ૩૦૬૨૪) તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૫.૩૦ કલાકે રાખેલ છે.

જ્યોતિબા જાડેજા

મોરબીઃ જ્યોત્સનાબા (જ્યોતિબા) મનહરસિંહ જાડેજા તે મનહરસિંહ અજીતસિંહ જાડેજા (સાપર)ના ધર્મપત્ની તથા બહાદુરસિંહ અને રતુભાના નાના ભાઈના પત્નીનું તા. ૧૦ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

લલીતાબેન લોઢિયા

મોરબીઃ ગીરનારા પરજીયા સોની લલીતાબેન હરિભાઈ લોઢીયા (ઉ.વ. ૭૮) તે અરવિંદભાઈ અને સુરેશભાઈના માતા તા. ૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે નિવાસ સ્થાન ભકિતનગર સોસાયટી, સરદાર બાગ સામે શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

કૃષ્ણકાંતભાઈ રૂપારેલ

ઉનાઃ સ્વ. શાંતિલાલ પોપટલાલ રૂપારેલના મોટા પુત્ર કૃષ્ણકાંતભાઈ રૂપારેલ (કનુભાઈ) તે પંકજભાઈ તથા મનીષભાઈ (બંટીભાઈ અવસર મંડપવાળા)ના પિતાશ્રી શ્રીજીચરણ પામેલ છે. તા. ૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ સંજોગોને અનુલક્ષીને ટેલીફોનિક ઉઠમણું રાખેલ છે.