Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022
જસદણ પટેલ સમાજનાં અગ્રણી જેરામભાઇ હીરપરાનું અવસાનઃ સાંજે બેસણું

જસદણઃ પટેલ જેરામભાઇ પરશોત્તમભાઇ હીરપરા (ઉ.વ. ૯ર) તે વિઠ્ઠલભાઇ, વેલાભાઇ, વિનુભાઇ, જેન્‍તીભાઇ, સ્‍વ. પ્રભાબેન બાબુભાઇ પાનસુરીયા (ગમા પીપળીયા) કાન્‍તિબેન રમેશભાઇ સાવલીયા (જીવાપર) ના પિતાશ્રી ધર્મેશભાઇ, પ્રદીપભાઇ, સ્‍વ. વિપુલભાઇ, હરિભાઇ, મયુરભાઇ, કિશનભાઇના દાદાનું તા. ૧૦ સપ્‍ટેમ્‍બર ર૦રર ને શનિવારનાં રોજ જસદણ મુકામે નિધન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧ર સપ્‍ટેમ્‍બર ર૦રર ને સોમવારના રોજ નિવાસસ્‍થાન સિતારામવાડી, ગંજીવાડા રોડ ખાતે રાખવામાં આવેલ છે. સદ્દગત જેરામભાઇ સમાજના દરેક કાર્યોમાં માન મોભા સાથે દરેકને કામે લાગવાની છેલ્લે સુધી સેવા આપેલ તેમનાં નિધનથી એક ખરો સમાજ સેવક ગુમાવ્‍યાની લાગણી જસદણ પટેલ   સમાજે   કરી     વસવસો   વ્‍યકત કર્યો હતો.

સુરેન્‍દ્રનગરના પત્રકાર-એડવોકેટ ઉમેશભાઇ શુક્‍લનું અવસાન

વઢવાણ :  સુરેન્‍દ્રનગર શહેરની મિત્ર મંડળ સોસાયટીમાં રહેતા અને બે દાયકાથી વધુ સમય સુધી પત્રકારત્‍વ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી અને પોતે પોતાની આગવી ઓળખ મેળવી હતી એવા ઉમેશભાઈ શુક્‍લ જ્‍યારે પોતે એક સારા એડવોકેટ પણ રહ્યા છે ત્‍યારે આજે સવારના અચાનક જ તેમને હૃદય રોગનો હુમલો આવતા તેમનું દુઃખદ અવસાન થતા પત્રકારત્‍વ ક્ષેત્રમાં તેમજ એડવોકેટ ક્ષેત્રમાં દુઃખની લાગણી વ્‍યાપી જવા પામી હતી ત્‍યારે વકીલ મંડળના પ્રમુખ ઘનશ્‍યામસિંહે દુઃખ વ્‍યક્‍ત કરી અને શોકની લાગણી વ્‍યક્‍ત કરી હતી સ્‍મશાન યાત્રા નીકળેલ હતી ત્‍યારે તેમની સમસાન યાત્રામાં રાજકીય આગેવાનો તેમજ પત્રકાર મિત્રો એડવોકેટ મિત્રો વેપારીઓ સહિતના બહોળી સંખ્‍યામાં લોકો જોડાયા હતા અને ઉમેશભાઈ શુક્‍લ પોતે હસમુખા  સ્‍વભાવ અને નિરાળું જીવન હર કોઈને કોઈ દિવસ દુઃખ લાગે તેવી વાત પણ નહીં કરવાની અને સદાય માટે પોતાનો નિરાળો ચહેરો અને હસમુખ આ સ્‍વભાવના કારણે મિત્ર વર્તુળોમાં પણ દુઃખની લાગણી છવાઈ જવા પામી હતી ત્‍યારે તેમના પરિવારમાં તેમના પત્‍ની છાયાબેન અને પુત્રી પુત્ર વિશાલભાઈ સહિત શુકલ બહોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે ત્‍યારે તેમના દુઃખદ અવસાન થી પત્રકાર મિત્રોમાં પણ શો કની લાગણી છવાઈ જવા પામી હતી.

અવસાન નોંધ

 

ઠા.રમેશભાઇ સેદાણી

સાવરકુંડલાઃ ઠા. રમેશભાઈ દયાળજીભાઈ સેદાણી ઉ. વ.૫૨ તે જતીનભાઈનાં મોટાભાઇ તા.૧૧નાં અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૨ને સોમવારે લોહાણા વિદ્યાર્થીભુવન સાવરકુંડલા ખાતે સાંજનાં ૪:૩૦ થી ૫:૩૦ સુધી રાખેલ છે.

ચંદ્રિકાબેન છત્રા

રાજકોટઃ ચંદ્રિકાબેન છત્રા (ઉ.વ.૮૬) તે સ્‍વ.જયંતભાઈના પત્‍ની, સ્‍વ.ગીરધરલાલ ચંદારાણાના પુત્રી, વિપીનભાઈના ભાભી અને દિપ્‍તીબેન છત્રા, બીનીતાબેન તન્‍ના, નિકિતાબેન ખખ્‍ખર, મોક્ષાબેન રીતેશભાઈ મોનાણીના માતાનું તા.૧૦ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા- પિયરપક્ષની સાદડી તા.૧૧ના સવારે ૧૦:૩૦ થી ૧૧ ઈન્‍દ્રેશ્વર મહાદેવ, મંદિર, માસ્‍તર સોસાયટી શેરી નં.૯ રાજકોટ ખાતે રાખેલ છે.

હર્ષાબેન શાહ

રાજકોટઃ હર્ષાબેન તે જીતેન્‍દ્ર ઈન્‍દુલાલ માધવજી શાહના ધર્મપત્‍નિ તથા ચિંતન તથા નિરવના માતુશ્રી તે પ્રકાશભાઈ, હરેશભાઈ, પ્રમોદભાઈ, હેમંતભાઈ, ઉમેશભાઈ અને પરેશભાઈના ભાભીશ્રી તે સ્‍વ.મનસુખભાઈ તથા વસંતબેન મહેતાના પુત્રી તે હેત્‍સી ચિંતન શાહના સાસુશ્રી, વર્ષાબેન રાજેશભાઈ મણિયારના વેવાઈ, સ્‍વ.નરેન્‍દ્રભાઈ, ગિરિશભાઈ તથા દિપકભાઈના બહેન શનિવાર તા.૧૦ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું રવિવાર તા.૧૧ના રોજ સવારના ૧૧:૧૫ કલાકે વર્ધમાનનગર જૈન દેરાસર- પેલેસ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશકુમાર ઝીંઝુવાડીયા

રાજકોટઃ ગો.વા. જયંતીલાલ જમનાદાસ પાટડીયાના જમાઈ તથા મુકેશભાઈ, મનીષભાઈ અને ધર્મેશભાઈના બનેવી સ્‍વ.રમેશકુમાર પ્રાણલાલ ઝીઝુવાડીયા (અમરેલી) તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું  પિયર પક્ષનું બેસણું તા.૧૨ સોમવારના રોજ ખીજડાશેરી રામઝરુખા મંદિરે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે. મો.૯૦૬૭૬ ૦૧૫૪૪, મો.૮૯૮૦૨ ૨૬૭૬૯ 

દિવ્‍યેશભાઇ ગણાત્રા

રાજકોટ : સ્‍વ. પ્રવિણભાઇ અને સ્‍વ. જશવંતીબેન ગણાત્રાના પુત્ર તેમજ સ્‍વ. હરજીવનભાઇ પોપટભાઇ ગણાત્રાના પૌત્ર દિવ્‍યેશભાઇ (ઉ.વ.૫૫) તે જાગૃતિબેન હરીશકુમાર રાયઠ્ઠઠાના ભાઇ તેમજ જીતેન્‍દ્રભાઇ અને ચિરાગભાઇના મોટાભાઇ તેમજ સંજયભાઇ, સમીરભાઇ, નિર્દેશ (રિન્‍કુ) ના ભાઇ તેમજ જયસન, કેશમીન, પાર્થના ભાઇજી તેમજ સ્‍વ. રસિકભાઇ ગણાત્રા અને સ્‍વ. દિપકભાઇ ગણાત્રાના ભત્રીજાનું તા. ૧૧ ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૨ ના સોમવારે સાંજે પ થી ૬ ‘રામવાડી' ૩, કરણપરા ખાતે રાખેલ છે.

ઠા.રમેશભાઇ સેદાણી

સાવરકુંડલાઃ ઠા. રમેશભાઈ દયાળજીભાઈ સેદાણી ઉ. વ.૫૨ તે જતીનભાઈનાં મોટાભાઇ તા.૧૧નાં અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૨ને સોમવારે લોહાણા વિદ્યાર્થીભુવન સાવરકુંડલા ખાતે સાંજનાં ૪:૩૦ થી ૫:૩૦ સુધી રાખેલ છે.

ઠા.રમેશભાઇ સેદાણી

સાવરકુંડલાઃ ઠા. રમેશભાઈ દયાળજીભાઈ સેદાણી ઉ. વ.૫૨ તે જતીનભાઈનાં મોટાભાઇ તા.૧૧નાં અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૨ને સોમવારે લોહાણા વિદ્યાર્થીભુવન સાવરકુંડલા ખાતે સાંજનાં ૪:૩૦ થી ૫:૩૦ સુધી રાખેલ છે.