Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022
પત્રકાર કિશોરભાઈ ત્રિવેદીના પિતાશ્રીનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ સાંજ સમાચારના પત્રકાર કિશોરભાઈ ત્રિવેદી તથા આકાશવાણીના વિપુલભાઈ ત્રિવેદીના પિતાશ્રી નટવરલાલ નંદલાલ ત્રિવેદી (ઉ.વ.૮૭)નું તા.૧૦ના ગુરૂવારના નિધન થયું છે. ચાતુર્વેદિય મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ મુળ ભુરખીયા હનુમાન (હાલ રાજકોટ)ના નટવરલાલ ઍન.ત્રિવેદીનું બેસણું તા.૧૪ના સોમવારે સાંજે ૫ થી ૬ ભવાનેશ્વર મહાદેવ મંદિર, નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

અવસાન નોંધ

લાલજીભાઈ રાઠોડ

રાજકોટઃ લાલજીભાઈ રણછોડભાઈ રાઠોડ (ઉ.વ.૮૦) તે કાન્‍તાબેન લાલજીભાઈ રાઠોડના પતિશ્રીનું તા.૧૧ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ સોમવાર સાંજે ૪ થી ૬ પુનીત સોસા. કોઠારીયા રોડ, રામેશ્વર મંદિર રાજકોટ ખાતે રાખેલ છે. જયેન્‍દ્ર મો.૯૮૨૪૫ ૧૭૩૨૮, દિનેશ મો.૯૮૭૯૫ ૧૦૦૦૭, કમલેશ મો.૯૦૩૩૩ ૨૩૧૬૩

બીજેન્‍દ્રભાઈ ચોકસી

રાજકોટઃ બીજેન્‍દ્રભાઈ ચંદુલાલ ચોકસી (ચરાડવા) તે સ્‍વ.ચંદુલાલ નીમચંદભાઈ ચોકસીના પુત્ર અને સ્‍વ.હરૂભાઈ, સ્‍વ.વિનુભાઈના ભાઈ, રાજેશભાઈના અને આનંદના પિતાશ્રી, ધ્રુવીલ, ધૈર્ય અને ત્‍વીશાના દાદા તથા લાલજીભાઈ હરીલાલભાઈ ફીચડીયાના જમાઈ અને ગીરીશભાઈ લાલજીભાઈ ફીચડીયાના બનેવીનું તા.૧૧ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧૨ શનિવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે ખીજડાવાડી યુનીટ નં.૨, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે. રાજેશભાઈ મો.૯૭૧૪૭ ૩૦૮૮૭, આનંદભાઈ મો.૯૭૩૭૩ ૦૧૫૩૦, ગીરીશભાઈ મો.૯૮૨૪૭ ૧૧૭૯૧

રમાબેન મણીયાર

રાજકોટઃ ટંકારાના બ્રહ્મક્ષત્રિય સ્‍વ. રમાબેન કનૈયાલાલ મણીયાર(ઉ.૭૯)તે   ચમનલાલ રતિલાલ મણિયારના નાનાભાઇ કનૈયાલાલના ધર્મપત્‍ની તથા છોટાલાલ રતિલાલ મણીયારના ભાભી તારીખ ૯ના શ્રીજી ચરણ પામેલ છે. સાદડી તા.૧૨ને શનિવારે સાંજે ૪.૩૦થી ૫.૩૦ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડકરોડ, વિભાગ નંબર ૧સામાકાંઠે, રાજકોટ રાખેલ છે.

જગદીશભાઇ ઘઘડા

રાજકોટઃ મૂળ દ્વારકાવાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ટણી સોની જગદીશભાઇ વિઠ્ઠલભાઇ ઘઘડા તે સ્‍વ.વિઠ્ઠલભાઇ ઓધવજીભાઇ ઘઘડાના પુત્ર તે ચંદ્રકાન્‍તભાઇ, સ્‍વ.અશોકભાઇ તથા દિલીપભાઇના મોટાભાઇ તે હિરેનભાઇ અને આનૅદભાઇના પિતાશ્રી તેમજ દર્શનભાઇ, સોનીયાબેન કલ્‍પેશકુમાર ઘાણંક, ડોલીબેન ચૈતન્‍યકુમાર કરચલીયા અને ઐશ્વર્યાબેનના મોટાબાપુ તથા મોટા દડવા વાળા નાજુભાઇ તુલસીદાસ ચલ્‍લાના જમાઇ તથા ભાગ્‍યશ્રીના દાદાનું તા.૧૧ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને શનિવારે સાંજે ૪થી ૬ ભગવાન ભુવનવાડી પંચનાથ પ્‍લોટ રાખેલ છે

વૃજલાલભાઈ ભટ્ટ

જુનાગઢઃ જુનાગઢ નિવાસી ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ વૃજલાલ કેશવલાલ ભટ્ટ (ઉ.વ.૮૮) તે અશ્વિનભાઈ, કમલેશભાઈ, મિતેશભાઈના પિતાશ્રી તથા વૈભવ, દર્શ, હીમાબેન તથા ચાંદનીબેનના દાદા તેમજ હરસુખભાઈના નાનાભાઈ તથા સ્‍વ.મધુસુદનભાઈ, દિનુભાઈ, રમણીકભાઈ, સ્‍વ.ભાનુશંકરભાઈ, ભાલચંદ્રભાઈ, નવીનભાઈ, કનકભાઈ તથા કુમુદબેનના મોટાભાઈ તા.૧૦ને ગુરૂવારે કૈલાસવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧૪ને સોમવારે ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વાંઝાવાડ, જુનાગઢ મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નીતિનભાઈ શાહ

રાજકોટઃ નિવાસી સ્‍વ.નીતિનભાઈ કાંતિલાલ શાહ (ઉ.વ.૬૪) તેઓ તપનભાઈ તેમજ પૂજય શ્રી પરમ સુનિષ્‍ઠાજી મહાસતીજીનાં સંસારી પિતાશ્રી, બિપીનભાઈ તેમજ જીતેશભાઈના ભાઈ તા.૧૧ શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. પરિવારજનોની ભાવનાથી સદ્દગત આત્‍માનું દેહદાન કરવાનું નકકી કરેલ હોઈ. આજે રાત્રે ૯ કલાકે તેમના પાર્થિવ દેહને પીડીયુ મેડિકલ કોલેજ (સિવિલ હોસ્‍પિટલ) લઈ જવામાં આવશે. તપનભાઈ શાહ  B/502 સદ્દગુરૂ પ્રેરણા એપાર્ટમેન્‍ટ, કાલાવડ રોડ, રાણી ટાવરની પાછળ, રાજકોટ મો.૯૮૨૫૪ ૪૮૭૭૯

એડવોકેટ સંજય પંડિતના પિતાશ્રી હેમંતકુમારનું દુઃખદ અવસાન

 

રાજકોટઃ એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિતના પિતાશ્રી સ્વ.હેમંતકુમાર જેઠાલાલ પંડિતનું અવસાન તા.૧૨ના થયેલ છે. સદ્દગતની અંતિમયાત્રા સાંજે ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. સંજયભાઈ, શીતલબેન, માલાબેન, મો.૯૮૨૪૧ ૧૨૧૦૦