Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021
સોનગઢના શારદાબેન ભરાડનું અવસાનઃ સાંજે બેસણુ

જુનાગઢ : મુળ સોનગઢનાં શારદાબેન નાનુભાઇ ભરાડ (ઉ.વ.૭ર) તે દિપકભાઇ, નિરીક્ષાબેન, પુનીતાબેન અને મનીષાબેનનાં માતા તથા સ્વ. ધીરૂભાઇ, ગિજુભાઇ ભરાડ (રાજકોટ)નાં લઘુબંધુના પત્ની તથા ડો. મનુભાઇ ભરાડ (ધારી)નાં ભાભી અને હિમંતકુમાર (જુનાગઢ), હસમુખકુમાર (સુરત) તથા શિવલાલ મહેતા (જામનગર)નાં સાસુનું તા. ૧૭ ના રોજ અવસાન થયું છે.

સદ્ગતનું બેસણું તા. ૧૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ વચ્ચે દિપકભાઇનાં નિવાસ સ્થાન શિવમ પાર્ક, માનસરોવર વિસ્તાર, આજી ડેમ રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.

ભોજાભાઇ સિંધવનું નિધન

રાજકોટઃ ભોજા -ભાઇ   બેચરભાઇ સિંધવ (ઉ. વ. ૮ર) તે રાજેશભાઇ તથા ધર્મેશભાઇના પિતાશ્રી અને પાર્થ તથા દર્શિતના દાદાશ્રીનું નિધન તા. ૧૭ ના થયું છે.

અવસાન નોંધ

માળીયા હાટીના માળેશ્વર મંદિરના  મહંત પ્રતાપ ગિરિબાપુનું અવસાન

માળીયા હાટીનાઃ માળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રતાપ ગિરિ વીર ગિરિ અપાર નાથી ઉ.વ.૭૫ તે જીતેન્દ્ર પુરી અને સ્વ.રમેશગિરિના પિતાજી તેમજ દોલતગિરિ સ્વ. શાંતિગિરિના ભાઈનું તારીખ ૧૬/૧૦/૨૧ ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું: માળેશ્વર મંદિર ખાતે રાખેલ છે.

કાંતિલાલ માંડલીયા

રાજકોટઃ હાલ રાજકોટ નિવાસી સોની કાંતિલાલ જાદવજી માંડલીયા (ઉ.વ.૮૦) તે ન્યાલચંદના મોટાભાઈ તથા કિરીટભાઈ, ભરતભાઈ, સંજયભાઈ, ગોપાલભાઈ તથા હર્ષાબેનના પિતાશ્રી તેમજ હેમીશા, મોહિલના નાના તેમજ કુશલ, મીરા, શિવમ, સોહમના દાદા તેમજ મણીલાલ લાઠીગરાના જમાઈ તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ લક્ષ્મીવાડી-૩/૧૨ કોર્નર, ગીરીરાજ, રાજકોટ ખાતે રાખેલ છે.

અરવિંદભાઈ ડાભી

રાજકોટઃ સ્વ.અરવિંદભાઈ ડાયાલાલ ડાભી (ઉ.વ.૬૨) (રેલ્વે નિવૃત કર્મચારી) તે જયશ્રીબેનના પતિ તથા રાજુભાઈના ભાઈ અને આનંદ, મોસમી, પૂજાના પિતાનું અવસાન તા.૧૬ને શનિવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી રજપુત ભવન વાડી,  ૧ દિપક સોસાયટી, ગાંધીગ્રામ રાજકોટ, આનંદ મો.૮૯૮૦૮ ૬૭૯૯૯

જસવંતીબેન જોષી

ગોંડલ : ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રાહ્મણ મુળ મોટા મહિકા નિવાસી હાલ ગોંડલ સ્વ. વ્રજલાલ રેવાશંકર જોષીના ધર્મપત્ની જસવંતીબેન ઉ.૮પ તે બકુલભાઇ તથા સુધીરભાઇના માતુશ્રી તથા વિશ્વા તથા ઋત્વના દાદીમા તથા જેતપુર નિવાસી સ્વ. દયાશંકર મણીશંકર જોષીના સુપુત્રીનું તા. ૧પ ને શુક્રવારના રોજ અવસાન થયલ છે. જેમનું બન્ને પક્ષનું ઉઠમણુ તથા બેસણું સોમવારના રોજ ૪ થી ૬ ટેલીફોનિક રાખેલ છે. બકુલભાઇ મો. ૯૬૬૪૯ પ૧૪૬૯, સુધીરભાઇ ૯૮૭૯૮ ૧૮૪૬ર, વિનોદભાઇ ૯૪ર૭૪ ૩૭ર૮૦, દિલીપભાઇ મો. ૯૪ર૬૯ ૮૧ર૦૭

મગનભાઇ મોવલિયા

ગોંડલ : મગનભાઇ કરમશીભાઇ મોવલીયા તે કેતનભાઇના પિતાનું તા. ૧૬ ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણુ સોમવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન અજંતા પાર્ક, ખોડીયાર ગેરેજ પાસે, ગુંદાળા ચોકડી, ગોંડલ ખાતે રાખેલ છે.

પ્રફુલ્લાબેન પંડયા

રાજકોટ : વાલમ બ્રાહ્મણ બિલિયાળાવાળા પ્રફુલ્લાબેન સનતભાઇ પંડયા (ઉ.૭૪), તે સ્વ. સનતભાઇ નારદલાલ પંડયાના પત્નિ, યશેષભાઇ, પારસભાઇ, પારૂલબેન જયેશભાઇ પંડયા (જામનગર), અલ્પાબેન ઉત્પલભાઇ પંડયા (જેતપુર)ના માતા, સ્વ. મણીશંકર ગૌરીશંકર પંડયાના પુત્રી, મુકુંદભાઇ, મહેશભાઇ, અનંતરાય, પ્રવિણભાઇ, નરેન્દ્રભાઇના બહેન તા. ૧પ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું સોમવારે સાંજે ૪ થી ૬ હેમવાડી, સ્ટેશન પ્લોટ, ગોંડલ છે.

વિઠ્ઠલભાઇ નેના

રાજકોટ : વિઠ્ઠલભાઇ ભોવાનભાઇ નેના (ઉ.૭૩) નું તા. ૧૪ ના અવસાન થયેલ છે. બેસણુ આજે તા. ૧૮ ના સોમવારે  સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઉત્તરક્રિયા ૧૯ ના મંગળવારે સવારે વિશ્વનગર આર. એમ. સી. કવાર્ટર બ્લોક નં. રપ-રર૭૧ ખીજડાવળો રોડ ભોલે પાનની સામેની શેરી ખાતે રાખેલ  છે.