અવસાન નોંધ
હિરાબેન પાડલીયા
રાજકોટઃ જામનગર નિવાસી હિરાબેન કાંતિલાલ પાડલીયા (ઉ.વ.૭૫) તે સ્વ.કાંતિલાલ છગનલાલ પાડલીયા (આફ્રિકા હેર ડ્રેસર વાળા)ના ધર્મપત્નિ તથા કલ્પેશભાઈ, દક્ષાબેન હમસુખભાઈ ભટ્ટી, લીનાબેન સુનિલકુમાર જોટંગીયાના માતુશ્રી તે રાજકોટવાળા નાનાલાલ લાઘાભાઈ હિરાણીના દિકરીનું તા.૧૬ના મંગળવારે અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧૮ના ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ પાબારી હોલ તળાવની પાળ જામનગર ખાતે રાખેલ છે.
મનસુખભાઈ જાખરીયા
રાજકોટઃ મચ્છુકઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિ રાજકોટ નિવાસી (લીંબુડાવાળા) જાખરીયા મનસુખભાઈ ઓધવજીભાઈનું તા.૧૭ના બુધવારે અવસાન થયેલ છે. ઉપેન્દ્રભાઈ મો.૯૯૨૫૬ ૧૧૨૩૧ તથા અંકિતભાઈ મો.૯૯૦૯૦ ૮૬૦૮૬ના પિતાશ્રી, ચંદુભાઈ મો.૮૧૨૮૯ ૯૭૯૫૯ રમેશભાઈ મો.૯૯૭૯૪ ૬૭૫૯૦ અને બકુલભાઈના ભાઈનું બેસણું તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ઉમિયા ચોક, મારૂતિ સુઝુકી શો-રૂમ વાલી શેરી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
હિતેષભાઈ રાયઠઠ્ઠા
રાજકોટઃ સ્વ.જેન્તીલાલ ગોકળદાસ રાયઠઠ્ઠાના પુત્ર હિતેષભાઈ જેન્તીલાલ રાયઠઠ્ઠા (ઉ.વ.૩૮) તે રાકેશભાઈના નાનાભાઈ તા.૧૭ના અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ વડલેશ્વર મહાદેવ મંદિર, વણઝારી ચોક, જૂનાગઢ ખાતે રાખેલ છે. તે રમેશભાઈ અને રાજુભાઈ ઉનડકટના ભાણેજની સાદડી સાથે રાખેલ છે.
રમણિકલાલ ભટ્ટ
રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ. બાલાશંકર ભાઈશંકર ભટ્ટના પુત્ર રમણીકલાલ (ગાંડુભાઈ) તે સ્વ.ઉમિયાશંકર, સ્વ. પ્રજારામભાઇ, સ્વ.મયાશંકર, સ્વ. પી. બી. ભટ્ટ તેમજ સ્વ. અંજવાળીબેન લાભશંકર જોષીના ભત્રીજા તે સ્વ. લાભશંકર ગિરિજાશંકર જોષીના ભાણેજ તેમજ સ્વ. ચંદ્રશંકર જટાશંકર પંડ્યાના જમાઈનું તા. ૧૭ના બુધવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૫-૩૦ નટેશ્વર મહાદેવ મંદિર, કોઠારીયા કોલોની, શેઠ હાઈસ્કૂલ પાસે, રાજકોટ ખાતે રાખ્યું છે.
કાંતિલાલભાઇ શાહ
કોડીનાર :. સોરઠીયા વણીક કાંતિલાલભાઇ કપુરચંદ શાહ (ઉ.વ.૮પ) તે જીતુભાઇ (રાજકોટ) દેવાંગભાઇ તથા સ્વ. દીપકભાઇના પિતા તેમજ સ્વ. રસિકલાલ (રાજકોટ) અને કિશોરભાઇ (મુંબઇ)ના મોટાભાઇનું તા. ૧૬ ના રોજ અવસાન થયું છે.
રાજેશભાઇ દોશી
મોરબી : સ્વ. પ્રાણજીવનભાઇ આણંદજીભાઇ દોશી તથા સ્વ. શાંતાબેનના પુત્ર રાજેશકુમાર (રાજુભાઇ) ઉ.વ.૬૬ તે સ્વ. બાબુલાલ ગાંધી તથા સ્વ. રંજનબેન ના જમાઇ તા. ૧૬ ના રોજ અમેરિકા ખાતે અરિહંત શરણ પામેલ છે. (સદ્ગતના ચક્ષુઓનું દાન કરેલ છે.) સદ્ગતનંુ ટેલીફોનીક બેસણું તા. ૧૮, ગુરૂવારના બપોરે ૩ થી ૪ માં રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
મનસુખભાઇ જાખરીયા
રાજકોટ :.. મચ્છુ કઠીયા સઇ સુથાર દરજી જ્ઞાતિ રાજકોટ નિવાસી (લીંબુડાવાળા) જાખરીયા મનસુખભાઇ ઓધવજીભાઇ તા. સ્વ. ૧૭ ના શ્રીરામચરણ પામેલ છે. જે ઉપેન્દ્રભાઇ તથા અંકિતભાઇના પિતાશ્રી, ચંદુભાઇ, રમેશભાઇ અને બકુલભાઇના ભાઇનું બેસણું તા. ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ઉમીયા ચોક, મારૂતિ સુઝૂકી શોરૂમ વાળી શેરી, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે. ઉપેન્દ્રભાઇ ૯૯રપ૬ ૧૧ર૩૧, અંકિતભાઇ ૯૯૦૯૦ ૮૬૦૮૬, ચંદુભાઇ ૮૧ર૮૯ ૯૭૯પ૯, રમેશભાઇ ૯૯૭૯૪ ૬૭પ૯૦
લક્ષ્મણભાઇ પટોળીયા
રાજકોટઃ મુળ લાવડીયા (જામનગર)ના વતની હાલ રાજકોટ લક્ષ્મણભાઇ નાથાભાઇ પટોળિયા (ભારતીય કિસાન સંઘના અગ્રણી- કરવેરા સલાહકાર) તે શાંતાબેનના પતિ, અ.નિ.મેહુલભાઇ અને અ.નિ.કલ્પેશભાઇના પિતા, તેમજ દામજીભાઇ, પરષોત્તમભાઇ, ચનાભાઇ, ભુરાભાઇ, મનીષભાઇ અને ભરતભાઇના ભાઇ તથા ગોવિંદભાઇ ગધેથરિયાના જમાઇ અને નિર્માણ - અનમોલના દાદા તા.૧૭ના અક્ષરનિવાસી થયા છે. પ્રાર્થનાસભા તા.૧૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ યોગીધામ પ્રાર્થના હોલ, આત્મીય યુનિ.પરિસર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.