Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021
કેશોદના જુની પેઢીના પત્રકાર પ્રેમશંકરભાઇ મહેતાનું અવસાન : સાંજે બેસણું

કેશોદઃ કેશોદ શહેરમાં ત્રણ પેઢી થી અખબારી આલમ સાથે જોડાયેલાં શામજી હરજીવન મહેતા પરિવાર નાં મોભી પ્રેમશંકર શામજીભાઈ મહેતા (ઉ.વ.૮૫) તે લલિતાબેન નાં પતિ તથાઅશ્રનિભાઈ (રાજકોટ), મનીષભાઈ (પત્રકાર-કેશોદ), કેતનભાઈ (મુંબઈ), બ્રિજેશ ભાઈ (જેતપુર), મધુબેન નરેન્દ્ર વ્યાસ (ગાંધીનગર), કિરણબેન જયેશ જોષી (લાલપુર),જલ્પાબેન રાજેશ વ્યાસ (કેશોદ) નાં પિતાજી અને સ્વ. વસંતભાઈ, જયસુખભાઇ, મગનભાઈ, નરેન્દ્રભાઇ,સ્વ લાભુબેન જેન્તીલાલ વ્યાસ,સ્વ.શાતાબેન રમેશકુમાર વ્યાસ,સ્વ. રમાબેન ધીરજલાલ પંડ્યાના ભાઈનું તા. ૧૫ને સોમવારે અવસાન થયું છે.

સદગતનું બેસણું તા. ૧૮/૧૧/૨૧ ને ગુરૂવારે સાંજે ૩ થી ૫ વાગ્યા સુધી કુતનાથ મહાદેવ મંદિર સામે, માંગરોળ રોડ, કેશોદ ખાતેના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. કેશોદના અખબારી આલમ સાથે વર્ષો સુધી જોડાયેલા પ્રેમશંકર શામજીભાઈ મહેતા નાં અવસાન થી કેશોદના મીડીયા કર્મીઓ એ એક પીઢ વડીલ ગુમાવ્યા હોય ભાવભરી શ્રદ્ઘાંજલિ આર્પી હતી. અશ્વિનભાઇ મહેતા મો. ૯૨૨૮૨ ૦૭૬૬૭, મનિષભાઇ મહેતા મો. ૯૯૨૫૦ ૨૩૨૨૪

માનકુંવરબા આણંદસિંહ પરમાર (જામનગર)નું દુઃખદ અવસાન

જામનગરઃ મૂળ ગામ પાંડવરા હાલ જામનગર નિવાસી સ્વ. આણંદસિંહ મહોબતસિંહ પરમારના ધર્મપત્નિ ગ.સ્વ. માનકુંવરબા આણંદસિંહ પરમાર (ઉ.વ. ૯૩) તે સ્વ. દિલીપસિંહ પરમાર, સ્વ. નરેન્દ્રસિંહ પરમાર અને ભરતસિંહ પરમારના માતુશ્રી તથા રવિરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર (હોટલ રોયલ સ્ટે, જામનગર)ના દાદીમાનું તા. ૧૫-૧૧-૨૧ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા આજે તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમિયાન નમર્દેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગર ખાતે સાંજે ૪ થી ૫ દરમિયાન રાખેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા. ૨૦-૧૧-૨૧ને શનિવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

હીરાબેન મોહનભાઇ જાદવનું અવસાન : કાલે બેસણુ

રાજકોટઃ સોરઠીયા રજપુત મોહનભાઈ બાલુભાઈ જાદવનાં ધર્મ પત્ની હિરાબેન (ઉ.વ-૬૯)તે  રિતેશભાઈ, સંદિપભાઈ તથા ભાવનાબેન અરવિંદભાઈ ચૌહાણ, કિર્તીબેન જીતેન્દ્રકુમાર પરમાર, રેખાબેન દિપકકુમાર રાઠોડનાં માતૃશ્રીનું તા.૧૭ને બુધવારે અવસાન થયું છે. સદ્દગતનું બેંસણુ તા.૧૯ને શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે રંગનાથ મહાદેવ મંદિર, રંગઉપવન સોસાયટી, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. રિતેશભાઈ (મો.નં-૯૯૨૫૫ ૧૪૪૭૭), સંદિપભાઈ  (મો.નં- ૯૮૭૯૫ ૩૪૨૪૦)

હરિભાઇ ડોડીયાની કાલે શુક્રવારે રાષ્ટ્રીય શાળા ખાતે પ્રાર્થના સભા : વિહીપના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ તથા રાજકોટ નાગરીક બેંકના સીનીયર ડીરેકટર

રાજકોટ,તા. ૧૮ : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તથા રાજકોટ નાગરીક સહકારી બેંકના સીનીયર ડિરેકટર હરિભાઇ ડોડીયા (ઉવ.૭૨)નું  ગઇ કાલે તા. ૧૭ના રોજ નિધન થયેલ. ૧૬ નવેમ્બર ૧૯૫૦ના રોજ જન્મેલ હરિભાઇ નાનપણથી જ સેવાભાવના ધરાવતા હતા.

રાજકોટમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી નિમિતે શોભાયાત્રા કાઢવાની શરૂઆતથી તેઓ સક્રીય રહ્યા હતા. રાજકોટ નાગરીક બેંકમાં તેઓ ૧૯૯૭માં ડીરેકટર તરીકે જોડાયેલ અને સતત ૨૫ વર્ષ પોતાનું માર્ગદર્શન આપેલ. તેમણે વિએચપીના રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે સેવા આપેલ. મમતા ગ્રુપ દ્વારા ટ્રાન્સપોર્ટના ક્ષેત્રે મોટી નામના મેળવી હતી.

હરિભાઇ પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઇ ડોડીયાના નાના ભાઇ હતા. સદ્ગતની પ્રાર્થના સભા કાલે તા. ૧૯ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે. મનોજભાઇ (મો. ૯૮૨૪૪ ૩૦૩૦૩), રૂપેશભાઇ (મો. ૯૮૯૮૮ ૦૦૦૧૯)

પ્રતાપભાઈ રણમલભાઈ ભાટીનું દુઃખદ અવસાન : કાલે શુક્રવારે સાંજે બેસણું

રાજકોટ : પ્રતાપભાઈ રણમલજીભાઈ ભાટી તે વિપુલસિંહ રાઠોડ (ટોયો એર કમ્પ્રેશરવાળા) તથા મેહુલભાઈ રાઠોડ (અડીંગોવાળા)ના સસરાનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું / પ્રાર્થનાસભા ભોમેશ્વર મંદિર, જામનગર રોડ, ખાતે તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

હિરાબેન પાડલીયા

રાજકોટઃ જામનગર નિવાસી હિરાબેન કાંતિલાલ પાડલીયા (ઉ.વ.૭૫) તે સ્વ.કાંતિલાલ છગનલાલ પાડલીયા (આફ્રિકા હેર ડ્રેસર વાળા)ના ધર્મપત્નિ તથા કલ્પેશભાઈ, દક્ષાબેન હમસુખભાઈ ભટ્ટી, લીનાબેન સુનિલકુમાર જોટંગીયાના માતુશ્રી તે રાજકોટવાળા નાનાલાલ લાઘાભાઈ હિરાણીના દિકરીનું તા.૧૬ના મંગળવારે અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧૮ના ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ પાબારી હોલ તળાવની પાળ જામનગર ખાતે રાખેલ છે.

મનસુખભાઈ જાખરીયા

રાજકોટઃ મચ્છુકઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિ રાજકોટ નિવાસી (લીંબુડાવાળા) જાખરીયા મનસુખભાઈ ઓધવજીભાઈનું તા.૧૭ના બુધવારે અવસાન થયેલ છે. ઉપેન્દ્રભાઈ મો.૯૯૨૫૬ ૧૧૨૩૧ તથા અંકિતભાઈ મો.૯૯૦૯૦ ૮૬૦૮૬ના પિતાશ્રી, ચંદુભાઈ મો.૮૧૨૮૯ ૯૭૯૫૯ રમેશભાઈ મો.૯૯૭૯૪ ૬૭૫૯૦ અને બકુલભાઈના ભાઈનું બેસણું તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ઉમિયા ચોક, મારૂતિ સુઝુકી શો-રૂમ વાલી શેરી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેષભાઈ રાયઠઠ્ઠા

રાજકોટઃ સ્વ.જેન્તીલાલ ગોકળદાસ રાયઠઠ્ઠાના પુત્ર હિતેષભાઈ જેન્તીલાલ રાયઠઠ્ઠા (ઉ.વ.૩૮) તે રાકેશભાઈના નાનાભાઈ તા.૧૭ના અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ વડલેશ્વર મહાદેવ મંદિર, વણઝારી ચોક, જૂનાગઢ ખાતે રાખેલ છે. તે રમેશભાઈ અને રાજુભાઈ ઉનડકટના ભાણેજની સાદડી સાથે રાખેલ છે.

રમણિકલાલ ભટ્ટ

 રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ. બાલાશંકર ભાઈશંકર ભટ્ટના પુત્ર રમણીકલાલ (ગાંડુભાઈ) તે સ્વ.ઉમિયાશંકર, સ્વ. પ્રજારામભાઇ, સ્વ.મયાશંકર, સ્વ. પી. બી. ભટ્ટ તેમજ સ્વ. અંજવાળીબેન લાભશંકર જોષીના ભત્રીજા તે સ્વ. લાભશંકર ગિરિજાશંકર જોષીના ભાણેજ તેમજ સ્વ. ચંદ્રશંકર જટાશંકર પંડ્યાના જમાઈનું તા. ૧૭ના બુધવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૫-૩૦ નટેશ્વર મહાદેવ મંદિર, કોઠારીયા કોલોની, શેઠ હાઈસ્કૂલ પાસે, રાજકોટ ખાતે રાખ્યું છે.

કાંતિલાલભાઇ શાહ

કોડીનાર :. સોરઠીયા વણીક કાંતિલાલભાઇ કપુરચંદ શાહ (ઉ.વ.૮પ) તે જીતુભાઇ (રાજકોટ) દેવાંગભાઇ તથા સ્વ. દીપકભાઇના પિતા તેમજ સ્વ. રસિકલાલ (રાજકોટ) અને કિશોરભાઇ (મુંબઇ)ના મોટાભાઇનું તા. ૧૬ ના રોજ અવસાન થયું છે.

રાજેશભાઇ દોશી

મોરબી : સ્વ. પ્રાણજીવનભાઇ આણંદજીભાઇ દોશી તથા સ્વ. શાંતાબેનના પુત્ર રાજેશકુમાર (રાજુભાઇ) ઉ.વ.૬૬ તે સ્વ. બાબુલાલ ગાંધી તથા સ્વ. રંજનબેન ના જમાઇ તા. ૧૬ ના રોજ અમેરિકા ખાતે અરિહંત શરણ પામેલ છે. (સદ્ગતના ચક્ષુઓનું દાન કરેલ છે.) સદ્ગતનંુ ટેલીફોનીક બેસણું તા. ૧૮, ગુરૂવારના બપોરે ૩ થી ૪ માં રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

મનસુખભાઇ જાખરીયા

રાજકોટ :.. મચ્છુ કઠીયા સઇ સુથાર દરજી જ્ઞાતિ રાજકોટ નિવાસી (લીંબુડાવાળા) જાખરીયા મનસુખભાઇ ઓધવજીભાઇ તા. સ્વ. ૧૭ ના શ્રીરામચરણ પામેલ છે. જે ઉપેન્દ્રભાઇ તથા અંકિતભાઇના પિતાશ્રી, ચંદુભાઇ, રમેશભાઇ અને બકુલભાઇના ભાઇનું બેસણું તા. ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ઉમીયા ચોક, મારૂતિ સુઝૂકી શોરૂમ વાળી શેરી, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે. ઉપેન્દ્રભાઇ ૯૯રપ૬ ૧૧ર૩૧, અંકિતભાઇ ૯૯૦૯૦ ૮૬૦૮૬, ચંદુભાઇ ૮૧ર૮૯ ૯૭૯પ૯, રમેશભાઇ ૯૯૭૯૪ ૬૭પ૯૦

લક્ષ્મણભાઇ પટોળીયા

રાજકોટઃ મુળ લાવડીયા (જામનગર)ના વતની હાલ રાજકોટ લક્ષ્મણભાઇ નાથાભાઇ પટોળિયા (ભારતીય કિસાન સંઘના અગ્રણી- કરવેરા સલાહકાર) તે શાંતાબેનના પતિ, અ.નિ.મેહુલભાઇ અને અ.નિ.કલ્પેશભાઇના પિતા, તેમજ દામજીભાઇ, પરષોત્તમભાઇ, ચનાભાઇ, ભુરાભાઇ, મનીષભાઇ અને ભરતભાઇના ભાઇ તથા ગોવિંદભાઇ ગધેથરિયાના જમાઇ અને નિર્માણ - અનમોલના દાદા તા.૧૭ના અક્ષરનિવાસી થયા છે. પ્રાર્થનાસભા તા.૧૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ યોગીધામ પ્રાર્થના હોલ, આત્મીય યુનિ.પરિસર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.