Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022
ઓખા રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી ગીરધરલાલ બારાઇનું અવસાન

ઓખાઃ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી ગૌ ભકત રામધુન મંડળવાળા સ્‍વ.ગીરધરલાલ પોપટલાલ બારાઇ (ઉ.વ.૭૯) તે સ્‍વ.મુકેશભાઇ, ભરતભાઇ, દિલીપભાઇ (LIC વાળા) તથા કુસુમબેનના પિતાશ્રી, વિવેકના દાદા, તથા છોટુ ભાઇ બથીયા, રમેશભાઇ બથિયા (બાકોડી વાળા) તથા નરોત્તમભાઇ (જામનગર)ના નું તા.૧૯ના અવસાન થયેલ છે.

 

છગનલાલ અમરશી એન્‍ડ સન્‍સના પરેશભાઈ પોપટનું દુઃખદ અવસાન

ગુરૂવારે સાંજે ૪ થી ૬ બેસણું- સાદડી

રાજકોટઃ પરેશભાઈ વૃજલાલ પોપટ (ઉ.વ.૪૮) છગનલાલ અમરશી એન્‍ડ સન્‍સ વાળા તે ગં.સ્‍વ.ભારતીબેન તથા સ્‍વ.વૃજલાલ પોપટના પુત્ર તે રશ્‍મિબેનના પતિ તથા કલ્‍પેશભાઈ, આશિષભાઈ, કૌશિકભાઈ, નિખીલભાઈ, કેવિનભાઈ, નિશાબેન તુષારકુમાર તન્‍ના નાભાઈ તથા  ગુલાબભાઈ,  સ્‍વ.નવીનભાઈના ભત્રીજા તથા જયભાઈ, રાહુલભાઈના પિતા તથા પ્રીતિબેનના દિયર તેમજ કીંજલ રાહુલકુમાર કોટક, બંસી અભીકુમાર સગપરીયા, પ્રેમના કાકા તથા સ્‍વ.મગનલાલ તુલસીદાસ ખખ્‍ખરના જમાઈ તા.૧૮ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ પટેલવાડી, જલારામ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. સ્‍વ.મગનલાલ તુલસીદાસ ખખ્‍ખરના જમાઈ  પરેશકુમાર તે નટુભાઈ તથા ગીરીશભાઈ મોરબીવાળાના બનેવીની પિયર પક્ષની સાદડી તા.૨૨ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઉપરોકત સ્‍થળે રાખેલ છે.

મુસ્‍લીમ અગ્રણી મર્હુમ ગનીબાપુ કટારીયાના ભત્રીજા નુરમહમદભાઈનું દુઃખદ અવસાન: મર્હુમ નુરમહમદની કાલે જીયારત

રાજકોટઃ જાણીતા મુસ્‍લીમ અગ્રણી મર્હુમ ગનીબાપુ કાળાભાઈ કટારીયાના ભત્રીજા નુરમહમદભાઈ હાસમભાઈ કટારીયા કે જેઓ ગનીબાપુના મોટાભાઈ હાસમભાઈ કાળાભાઈ કટારીયાના દિકરા હતા. નુરમહમદભાઈ હાસમભાઈ કટારીયા (ઉ.વ.૬૨) આજરોજ જન્‍નત નસીન થયેલ છે. તેઓના જનાઝા (મય્‍યત)માં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહીને ખીરાજે અકીદત પેશ કરી હતી.
મર્હુમ નુરમહમદભાઈ હાસમભાઈ કટારીયાની જીયારત આવતીકાલ મંગળવાર સવારે ૧૦ વાગ્‍યે સદર જુમ્‍મા મસ્‍જિદમાં રાખેલ છે અને ઓરતૌની તેમના નિવાસસ્‍થાન સદર ખાટકીવાસ, હુસૈની ચોક પાસે રાખેલ છે એમ સદર કુરેશ જમાતના અગ્રણી યુનુસભાઈ હાસમભાઈ કટારીયા મો.૯૮૨૪૨ ૧૯૦૮૬ તથા અહેમદભાઈ હાસમભાઈ કટારીયા મો.૯૯૦૪૨ ૨૫૯૫૬ની યાદી જણાવેલ છે.

 

અવસાન નોંધ

પોરબંદરના સ્‍વ.હેમંતલાલભાઇ લાખાણીની સાંજે પ્રાર્થનાસભા

પોરબંદરઃ સ્‍વ.હેમંતલાલભાઇ ગોપાલદાસ લાખાણી (ઉ.વ.૭૩) તે સ્‍વ.બાબુભાઇ, સ્‍વ.દયાળજીભાઇ તથા જયંતિભાઇના ભાઇ તથા કાજલબેન અમીતકુમાર કક્કડ તથા દિપાબેન રાજકુમાર મણેકના પિતાશ્રી તેમજ સ્‍વ.છગનલાલ કાનજી સામાણીના જમાઇ તા.૧૭ શનીવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૧૯ સોમવાર સાંજે ૪.૧૫ થી ૪.૪૫ કલાકે લોહાણા મહાજન વાડી પ્રાર્થના સભા હોલ ખાતે તેમજ સાસરીયા પક્ષની સાદડી સાથે અને ભાઇઓ તથા બહેનોનું સંયુકત રાખેલ છે.

ગંભીરસિંહ ઝાલા

મોરબીઃ ઝાલા ગંભીરસિંહ ભગવતસિંહ ગામ ખેવારીયા હાલ મોરબી તે સ્‍વ. અનોપસિંહ ભગવતસિંહ ઝાલાના નાનાભાઈ તથાં શ્રી ઈન્‍દ્રસિંહ જી ઝાલાના પિતા તથાં દશરથસિંહ ઝાલાના કાકાશ્રીનું તા.૧૬ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું બેસણું તા ૧૯ સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને અશોક પાર્ક નવલખી રોડ મોરબી ખાતે રાખેલ છે.

જયંતિલાલ કકૈયા

ઉપલેટાઃ બ્રહ્મ ક્ષત્રીય જયંતિલાલ કકૈયા ઉ.વ.૭૮ તે કિશોરભાઇ, રાજુભાઇ, હિનાબેન, ચંદ્રિકાબેન, વર્ષાબેનના પિતાશ્રી તથા કાંતિલાલ નરભેરામ ભુછઠા (જેતપુર)ના જમાઇ તા.૧૭ને શનિવારે શ્રીજી પામેલ છે પ્રાર્થના સભા તા.૧૯ને સોમવારે ૪ થી ૬ બ્રહ્મ ક્ષત્રીય જ્ઞાતીની વાડી, નાગનાથ ચોક, ઉપલેટા મુકામે રાખેલ છે.

દિવાળીબેન પાઠક

રાજકોટ : મુળ વડેરા નિવાસી હાલ-ભાવનગર સૌરાષ્‍ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ દિવાળીબેન રમણીકલાલ પાઠક (ઉ.વ.૮૮) તે જીતેન્‍દ્રભાઇ, ભરતભાઇ, નયનભાઇ, શૈલેષભાઇ અને ગીતાબેનના માતુશ્રી બલભદ્રભાઇ મહેતાના સાસુમા તથા જલ્‍પા, શિવાંગ સપના અને દિત્‍સુના દાદીમાનું તા. ૧૮ ના અવસાન થયું છે સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ સુધી લખુભા હોલ, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખેલ છે. (મો. ૯૮રપ૭ ૦૯૮૯૭.

ધર્મેન્‍દ્રસિંહ ગોહિલ

રાજકોટઃ ધર્મેન્‍દ્રસિંહ હકુભા ગોહિલ (કુકડ) તે બળદેવસિંહના નાનાભાઇ અને પ્રતિપાલસિંહ, મહેન્‍દ્રસિંહ, પ્રધ્‍યુમનસિંહના મોટાભાઇ અને સિદ્ધરાજસિંહ, શિવભદ્રસિંહના પિતા અને સત્‍યજીતસિંહના કાકા અને હરપાલસિંહ, પરીક્ષીતસિંહના મોટાબાપુનું તા.૧૭ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ સાંઇનાથ મહાદેવ મંદિર, રેલનગર-૨, રાજકોટ ખાતે રાખેલ છે.

તારાબેન  પરમાર

રાજકોટઃ લુહાર સ્‍વ.તારાબેન કરશનભાઈ પરમાર, તે સ્‍વ.ગણેશભાઈ અમરશીભાઈના પુત્રવધુ, સ્‍વ.દયાળજીભાઈના નાનાભાઈના પત્‍નિ, તે રમેશભાઈ તથા વલ્લભભાઈના ભાભી, તે મનિષાબેન રાજભાઈ કારેલીયાના ભાભૂ, તે સ્‍વ.મકવાણા ભાણજીભાઈ સવજીભાઈ તથા મનસુખભાઈ સવજીભાઈના (વાવડીવાળા)ના બહેનનું તા.૧૬ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું મોરબી મુકામે તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૩ થી ૫ વાગ્‍યા સુધી વિશ્વકર્માવાડી સ્‍વામિનારાયણ નગર વાળી શેરી, મોરબી સનાળા રોડ ખાતે રાખેલ છે.

કમલેશભાઈ અંબાસણા

રાજકોટઃ કમલેશભાઈ (કરશનભાઈ) વલ્લભભાઈ અંબાસણા મુળગામ- માખીયાળા, હાલ રાજકોટ (ઉ.વ.૭૨) તે ચંદનબેનના પતિ, કેતનભાઈ તથા સોનલબેન બીજલભાઈ ભારદીયાના પિતાશ્રી તથા ધનજીભાઈ તથા મોહનભાઈ તથા મનુભાઈ તથા જયશ્રીબેન કિશોરભાઈ પેશાવરીયાના મોટાભાઈ તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ સોમવારના સાંજે ૪ થી ૬  કલાકે ઈન્‍દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્‍તર સોસાયટી, ૮૦ ફૂટ રોડ, કોઠારીયા કોલોની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

નીતાબેન પરમાર

રાજકોટઃ કારડીયા  રાજપૂત નીતાબેન રાજેન્‍દ્રસિંહ પરમાર (ઉ.વ.૪૮) તે રાજેન્‍દ્રસિંહ વજેસિંહ પરમાર (ભુરાભાઈ ફોટોગ્રાફર)નાં ધર્મપત્‍નિ તથા સ્‍વ.પ્રતાપસિંહ નાનજીભાઈ ડોડીયા (જય ખોડીયાર વાળા)નાં પુત્રીનું તા.૧૭ને શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.