અવસાન નોંધ
હીરાબેન વરૂ
રાજકોટ : ગુર્જર ક્ષત્રીય કડીયા મુળ ગામ જીરાગઢ હાલ રાજકોટ વરૂ ગોરધનભાઇ ગોવિંદભાઇના પત્ની હીરાબેન ગોરધનભાઇ વરૂ તે પ્રફુલ્લાબેન ત્થા પ્રવિણભાઇ તથા તરૂણાબેનના માતુશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. રપ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. પ્રવિણભાઇ વરૂ ૯૩૭પ૯ ૭૭૦૬૧, જાગૃતિબેન ૮૮૬૬પ ૧ર૭૧૧
રતીલાલભાઇ સવાણી
રાજકોટઃ મુળ ગામ- કરીયાણા, હાલ રાજકોટ નિવાસી, સ્વ.શામજીભાઇ મોહનભાઇ સવાણીના પુત્ર રતીલાલ શામજીભાઇ સવાણી તે રમેશભાઇ, સ્વ.બાલાભાઇ, સ્વ.ભરતભાઇ, વિનુભાઇ, સ્વ.મનુભાઇના નાના ભાઇ તથા લલિતભાઇના મોટા ભાઇનું તા.૨૩ના અવસાન થયેલ છે તા.૨૫ના શુક્રવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. રમેશભાઇ ૯૯૭૮૨૦૪૪૬૦, લલિતભાઇ ૯૮૯૮૪૫૯૨૩૨
ચંદુભાઇ મશરૂ
રાજકોટઃ ચંદુભાઇ જમનાદાસ મશરૂ (ઉ.વ.૬૧) તે જમનાદાસ દેવચંદભાઇ મશરૂના પુત્ર રાજુભાઇ જમનાદાસ મશરૂના મોટાભાઇ વસંતભાઇ જમનાદાસ મશરૂના મોટાભાઇનું તા.૨૨ના રોજ નિધન થયેલ છે. બેસણું: તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. ૫-ન્યુ સાગર સોસાયટી કેદાર ગેટ અંદર કોઠારીયા રોડ મો. નં.૯૯૭૯૦ ૩૫૬૪૨, વસંતભાઇ ૯૯૦૯૫ ૧૯૦૦૫ રવિ-૬૩૫૬૯૮૬૯૫૮ કાનો.
નિર્મલાબેન ઉપાધ્યાય
માણાવદર : શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ નિર્મળાબેન વિનોદરાય ઉપાધ્યાય (ઉ.વ.૭પ) તે સ્વ. વિનોદરાય જગન્નાથ ઉપાધ્યાયના ધર્મપત્ની તથા નિતાબેન, હર્ષાબેન, હિનાબેન, જાગૃતિબેનના માતુશ્રી તથા મૂકેશભાઇ ભટ્ટ, રાજૂભાઇ ઠાકર, વિપુલભાઇ પાઠકના સાસુનું તા. રર ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. મો. ૮૧૪૦૧ ૯૮પ૮પ
બકુલભાઈ પરમાર
રાજકોટઃ બકુલભાઈ વિઠ્ઠલભાઈ પરમાર (ઉ.વ.૬૦) તે વિઠ્ઠલભાઈ લક્ષ્મણભાઈ પરમારના પુત્ર, સન્નીભાઈના પિતાશ્રી, હર્ષદભાઈ, જીતેન્દ્રભાઈ, દિપકભાઈ, દિલીપભાઈ, હંસા રાજેશકુમાર ચૌહાણ, ગીતાબેન મનોજકુમાર હાપાના ભાઈ તેમજ હેતલબેન, મીતલબેન, શીતલબેન, જીજ્ઞાબેનના પિતાશ્રી, અમીત અને અભીષેકના ભાઈજીનું તા.૨૧ના દેહાવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને શુક્રવારે તેમના નિવાસસ્થાન પાસે સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર સો.શેરી નં.૭માં સાંજે ૪ થી ૬ રાખેલ છે.
રમણીકભાઈ દોશી
રાજકોટઃ રમણીકભાઈ છગનલાલ દોશી (ઉ.વ.૯૩) તે અનુપમાબેનના પતિ, છગનલાલ મુળજીભાઈ દોશીના પુત્ર, શાંતીલાલ ભુદરભાઈ મહેતાના જમાઈ તથા હીનાબેન (એડવોકેટ)ના સીનિયરનું બુધવાર તા.૨૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૮૨૪૮ ૭૨૯૫૪
ડાયાલાલ રાઠોડ
રાજકોટઃ ભાણવડ નિવાસી હાલ રાજકોટ સતાવારા જ્ઞાતીના સ્વ.મોહનભાઈ નથુભાઈ રાઠોડના પુત્ર સ્વ.ડાયાલાલ મોહનલાલ રાઠોડ તે વિઠલભાઈ તથા નિલેશભાઈના મોટાભાઈ તથા સુમિતભાઈ તથા કોમલબેનના પિતાશ્રી તથા તે સ્વ.માધવ હર્ષદરાય જોષીના સસરા તા.૨૩ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. સુમિત રાઠોડ મો.૯૩૧૬૪ ૧૮૨૮૯, કોમલ જોષી મો.૭૦૪૮૪ ૮૪૮૮૬
લતાબેન કેશરીયા
રાજકોટઃ ગો.વા. અમૃતલાલ પરસોત્તમભાઈ કેશરીયાના પુત્રવધુ તથા ગો.વા.ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ કેશરીયના ધર્મપત્નિ, ગો.વા. લતાબેન ચંદ્રકાન્તભાઈ કેશરીયા (ઉ.વ.૭૧) તે ગો.વા.લક્ષ્મીચંદ હરજીભાઈ રાજદેવ (સુરેન્દ્રનગરવાળા)ની પુત્રી તથા વિમલભાઈ, કલ્પેશભાઈ, બિરેનભાઈ કેશરીયાના માતુશ્રીનું તા.૨૩ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૬૩૮૧ ૯૧૯૪૨, મો.૯૪૨૬૨ ૩૯૨૫૨, મો.૯૮૯૮૩ ૬૬૫૬૧ (પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.)