Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020
જુનાગઢનાં રાજુભાઇ નંદવાણીની સાંજે ટેલીફોનીક પ્રાર્થના સભા

જુનાગઢ : મહાનગરપાલિકાના નગરસેવક અને સિંધી સમાજના આગેવાન સમગ્ર નંદવાણી પરિવારના મોભી સ્વર્ગસ્થ રાજુભાઇ નંદવાણીની ચિર વિદાયથી પરિવારના આધારસ્તંભ જેવા વડીલની છત્રછાયા ગુમાવી છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના વર્તમાન કોરોનાની મહામારીને ધ્યાને રાખતા સદ્ગતની ટેલિફોનિક પ્રાર્થના સભા શુક્રવારે તા. ર૪ જુલાાઇ ર૦ર૦ને સાંજે ૪ થી ૬ દરમિયાન નીચેના નંબર ઉપર રાખેલ છે. મો. ૯૯૦૯૮ ૦પ૭પ૭ જેઠાભાઇ, ૯૪ર૮૧ ૮૭૬૮૭  લછુભાઇ , મો. ૯૯૦૯૩ ૮૮૮ર૩ ધર્મેન્દ્રભાઇ, મો. ૯૯રપપ ૧૩૭૦૦ હિતેશભાઇ

અવસાન નોંધ

મશરૂભાઇ ગમારા

રાજકોટઃ મશરૂભાઇ ગોબરભાઇ ગમારા (ઉ.વ.૬૦) તે જયેશ, રવિ તથા સુનીલના પિતાશ્રીનું તા.ર૩ના અવસાન થયેલ છે.

રતિલાલભાઇ પંચાસરા

રાજકોટઃ ખાખરાળા નિવાસી હાલ રાજકોટ રતિલાલ અંબારામભાઇ પંચાસરા તે સ્વ.નરશીભાઇ તથા સ્વ.રમેશભાઇના ભાઇ તથા પ્રફુલભાઇ હિતેશભાઇના પપ્પા તથા રસિકભાઇના કાકા તથા પ્રગનેશભાઇ વિશાલભાઇના ભાઇજી તેમજ નિતિનભાઇ જગજીવનભાઇ તલસાણીયાના બનેવીનું તા.ર૩ના અવસાન થયેલ છે. તા.ર૭ના સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. પ્રફુલભાઇ મો. નં. ૮૪૦૧૬૮૪ર૧૮ અને હિતેશભાઇ મો. નં. ૯પ૮૬પ ૩૪૭૧૩ તથા રસિકભાઇ મો. નં. ૯૮રપ૮ ૩૯૬રપ તેમજ પ્રગનેશભાઇ મો. નં. ૭૪૩૩૦ ૭૪૩૦૩ છે.

ચંદ્રવદનભાઇ જોશી

કેશોદઃ ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ રાજકોટ નિવાસી ચંદ્રવંદનભાઇ મગનલાલ જોશી (ઉવ.૭૨)તે સચિનભાઇ તથા નીતાબેન સંજયકુમાર ઠાકરના પિતાશ્રી તથા હસમુખભાઇના ભાઇનું તા.૨૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણુ તા. ૨૪ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ રાખેલ છે. સચિનભાઇ જોશી મો. ૯૨૬૫૪ ૩૦૮૯૩, સંજયકુમાર બી. ઠાકર મો. ૯૧૦૬૯ ૨૦૯૧૩.

ડો.મહેશકુમાર રાવલ

રાજકોટઃ ડો.મહેશકુમાર રતિલાલ રાવલ (રીટાયર્ડ મેડીકલ ઓફીસર) (મુ.જુનાગઢ હાલ રાજકોટ) તે ચંદનબેન, દિપકભાઈ તથા ઉષાબેનના ભાઈ અને રૂચીરભાઈ, શ્રુતીબેન, જાનવીબેનના પિતાશ્રીનું તા.૨૩ ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયેલ છે.

મગનલાલ દવે

રાજકોટઃ મગનલાલ નારણજી દવે (કોયલીવાળા) (ઉ.વ.૯૦) તે ગં.સ્વ.જશવંતીબેન (મેહુલ નગર તુલજા ભવાની મંદિરવાળા)ના પતિ તથા સ્વ.હરિશંકરભાઈ, સ્વ.અમૃતલાલ, સ્વ.છગનલાલ, સ્વ.પોપટલાલ નારણજી દવે તથા સ્વ.ગોદાવરીબેન વ્રજલાલ પંડયાના ભાઈ તથા અશોકભાઈ, ભીખાલાલ મગનલાલ જોશીના બનેવી તે બટુકભાઈ (નિવૃત્ત એસ.ટી.કર્મચારી), બળવંતભાઈના કાકા તે મુકેશભાઈ (ફેમિલી કોર્ટ જામનગર) તથા કમલેશભાઈ (ભારત બેન્ઝ) તથા ચંદ્રેશભાઈ (ભુવનેશ્વરી પ્લે હાઉસ), વિશાલભાઈ (સિદ્ધિવિનાયક મોટર્સ મોરબી)ના અદા તા.૨૩ના રોજ કૈલાસવાસ પામેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૨૫ના રોજ સાંજના ૫ થી ૭ રાખેલ છે.

મોહનભાઇ મેંદપરા

રાજકોટઃ લતીપર નિવાસી (હાલ રાજકોટ) મોહનભાઇ મનજીભાઇ મેંદપરા તે રાજેશભાઇ (પટેલ સાયકલ), અશ્વિનભાઇ તથા ભરતભાઇ (ઇલેકટ્રીશ્યન) ના પિતાશ્રીનું તા.૨૩ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક (મો.૯૬૩૮૮ ૭૯૧૯૯) બેસણું તા.૨૫ શનિવારના રોજ રાખેલ છે.

નિર્મળાબેન કોટક

વેરાવળ : વેરાવળ નિવાસી સ્વ. મુળજીભાઇ વાલજીભાઇ કોટકના પત્ની નિર્મળાબેન (ઉ.૯૦) તે કિશોરભાઇ, દિલીપભાઇ, રમેશભાઇના માતુશ્રીનું તા. ર૩ ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણુ તા. ર૪ ને શુક્રવારે સાંજે ૪ થી પ કારડીયા બોર્ડીંગ પાછળ બસ સ્ટેન્ડ રોડ રમેશભાઇ કોટકના નિવાસ સ્થાન વેરાવળ રાખેલ છે.

 આનંદબા ઝાલા

જામનગર : મુળ ચુડવા હાલ જામનગર નિવાસી સુખદેવસિંહ વાલુભા ઝાલાના ધર્મપત્ની તથા હરદેવસિંહ તથા જયેન્દ્રસિંહના માતુશ્રી આનંદબા સુખદેવસિંહ ઝાલાનું તા. રર બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોનાની પરિસ્થિતીના કારણે તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૩૦ ગુરૂવારના રોજ જામનગર રાખેલ છે. ઝાલા સુખદેવસિંહ વાલુભા મો. ૯૭૧૪૩ ૩૬પ૦ર, ઝાલા હરદેવસિંહ સુખદેવસિંહ મો. ૯૯૭૪૯ ૮૯પ૬૯, ઝાલા જયેન્દ્રસિંહ સુખદેવસિંહ મો. ૯૭૩૭૭ ર૦ર૦૧

મનુભાઈ પઢીયાર

રાજકોટઃ મનુભાઈ નારણભાઈ પઢીયાર (ઉ.વ.૮૮) તે ગુડીશભાઈ ચંદ્રેશભાઈના પિતાશ્રી તેમજ અભિષેક, ભૂષણ, પ્રેમ અને પ્રિયલના દાદાનું તા.૨૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું તા.૨૫ને શનિવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને બોમ્બે હાઉસિંગ શેરી નં.૭ ''નર્મદા'' યુનિવર્સીટી રોડ ખાતે ટેલીફોનિક બેસણું રાખવામાં આવેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈપણ પ્રકારની લૌકિક ક્રિયા રાખેલ નથી.

વેણીલાલ લુકકા

રાજકોટઃ પોરબંદર નિવાસી વેણીલાલ સવજીભાઈ લુક્કા (મૂળ જામ રાવલ) તે સવજીભાઈ ધનજીભાઈ લુક્કા ના પુત્ર તથા તુલસીદાસ વિઠ્ઠલદાસ ઠકરાર ના જમાઈ તે પ્રતાપરાઈ,મહેન્દ્રભાઈ, નીતિનભાઈ, વીપીનભાઈ(નાઇરોબી), વિપુલભાઈ(કંપલા), તેમના મોટા ભાઈ તા. ૨૩ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની અંતિમ યાત્રા સવારે ૯ કલાકે પોરબંદર એમના નિવાસ સ્થાને થી તા.૨૪ ના નિકળી હતી. ટેલિફોનિક બેસણું તા. ૨૫ (શનિવાર)ના સવારે  ૯ થી ૧૧ માં રાખેલ છે. મો. ૭૪૦૫૬૧૦૬૦૦