-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૮
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો
બાળકોની આઝાદી
‘‘બાળકોની આઝાદી જરૂરી છે. દુનીયાની આ સૌથી મોટી જરૂરીયાત છ.ે કારણ કે બીજી કોઇપણ ગુલામી તેના જેવી ખતરનાક અને વિનાશક નથી બાળકોને પોતાની જાતને ઓળખવા દેવામાં આવતા નથી''
સમાજ બાળકોને આ રીતે જ વર્તન કરવુ જોઇએ તેવુ કહીને ગુલામો બનાવી રહ્યો છે. સમાજ આદર્શ અને વિચારો આપી રહ્યું છે અને તરત જ બાળક ટેવાઇ જાય છે કે તે હીંદુ છે. તે પુરૂષ છે અને તેને પુરૂષની જેમ જ વર્તવું જોઇએ તેણે રોવુના જોઇએ છોકરીઓસ્ત્રીની જેમ વર્તન કરવા લાગે છે. તેણે ઝાડ ઉપર ના ચડવુ જોઇએ કારણ કે તે છોકરાઓ કરે છે ધીમે-ધીમે મર્યાદાઓ વધતી જાય છે. પછી દરેક વ્યકિત ગુંગળામણ અનુભવ કરે છે. આ પરિસ્થિતી છે દરેક વ્યકિત ગુંગળામણ અનુભવે છ.ે અને અંદર ઉંડે કયાંક મુકતી ઇચ્છે છે પરંતુ કઇ રીતે ?
એવુ લાગે છે કે આપણી આજુબાજુના જે દિવાલો બનાવવામાં આવી છે તે ખૂબજ મજબુત છે અને લોકો આખી જીંદગી આ જેલમાં વીતાવે છે અને મરી જાય છે. કયારેય જાણી શકતા નથી કે જીંદગી શુ છે, કયારેય વિરાટ અસ્તીત્વને પામી શકતા નથી.
મનની આ ખોટી ઉભી કરેલ વ્યવસ્થા છે ધ્યાનનો ધ્યેય આ અવસ્થા તોડવાનો છે. દિવાલોમાંથી બહાર નીકળવાનું છે જે માતા-પીતાએ, સમાજે પૂજારીઓએ અને નેતાઓએ કરેલુ છે તે ધ્યાન દ્વારા દુર થવુ જ જોઇએ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧