Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૪-૯-ર૦ર૧ શનિવાર
શ્રાવણ વદ-૧ર
શનિ પ્રદોષ
પર્યુષણ પર્વ પ્રારંભ પંચમી પક્ષ
સ્થિર યોગ ૧૭-૪પ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-કર્ક
મંગળ-સિંહમાં
બુધ-કન્યા
ગુરૂ-કુંભ
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૧,
સૂર્યાસ્ત-૭-૦૦,
જૈન નવકારશી- ૭-૧૯
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર- પુષ્ય
૧૭-૪પ થી આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-ર૧ થી શુભ ૧૩-૧૧ સુધી ૮-૦પ થી શુભ ૯-૩૯ સુધી ૧ર-૪૬ થી ચલ-લાભ-અમૃત ૧૭-ર૬ સુધી ૧૮-પ૯ થી લાભ ર૦-ર૬ સુધી ર૧-પ૩ થી શુભ-અમૃત- ર૪-૪૬ સુધી
શુભ હોરા
૭-૩૪ થી ૮-૩૬ સુધી, ૧૦-૪૧ થી ૧૩-૪૮ સુધી, ૧૪-પ૦ થી ૧પ-પ૩ સુધી, ૧૭-પ૭ થી ર૦-પપ સુધી
બ્રહ્માંડના સીતારા
જો હથેળીમાં અંગુઠાની બાજુની આંગળી ને ગુરુની આંગળી કહેવાય છે અહીં જો આંગળીની નીચે હથેળીમાં ગુરુના પર્વત ઉપર ત્રિકોણનું નિશાન હોય તો આવી વ્યકિત નસીબદાર હોય છે. જન્માક્ષર ઉપરથી જ સારુ માર્ગદર્શન મળે છે જેથી જન્મ તારીખ અને જન્મ સમય ઉપરથી જન્માક્ષર બનાવીને પછી માર્ગદર્શન મેળવવુ જન્મ કુંડલીમા જો સૂર્ય ધન રાશિનો હોય તો ઇમાનદારી પૂર્વક જીવનમાં આગળ વધે છે જો સૂર્ય તુલા રાશિનો હોય તો આવી વ્યકિત કપટ કરીને રાજકારણમાં સફળતા મેળવે છે. સૂર્યની સાથે ગુરૂનુ કનેકશન જીવનમાં ખુબ જ સારી નામના અને સફળતા અપાવે છે. રોજ ગાયત્રી મંત્ર બોલવાથી જીવનમાં સુખ-શાંતિ મળે છે.