Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૭-૮-ર૦ર૦,ગુરૂવાર
ભાદરવા સુદ-૯, રામદેવપીર-નવરાત્રી પૂર્ણ , નંદા નોમ, ગૌરી વિસર્જન-૧ર-૩૭, રવિયોગ-અહોરાત્ર, વિંછુડો-૧ર-૩૯ સુધી
સૂર્ય-સિંહ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૯
સૂર્યાસ્ત-૭-૦૮
જૈન નવકારશી-૭-૧૭
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
૧ર-૩૯થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૩ થી ૧૩-૧૩ અભિજીત નક્ષત્ર
૬-ર૯થી શુભ-૮-૦૪ સુધી, ૧૧-૧૩થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૭ સુધી,૧૭-૩રથી શુભ-અમૃત-ચલ-ર૧-પ૮ સુધી, ર૪-૪૮થી લાભ-ર૬-૧૪ સુધી
શુભ હોરા
૬-ર૯થી ૭-૩ર સુધી, ૯-૩૯થી ૧ર-૪૮ સુધી, ૧૩-પ૧થી ૧૪-પ૪ સુધી, ૧૭-૦૧ થી ર૦-૦૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ગુરૂ કેન્દ્રમાં હોય તો એક હજાર દોષોનો નાસ થાય છે. મતલબ કે કેન્દ્રનો ગુરૂ રાજયોગ બનાવે છે. જો પોતાની રાશિમાં સ્વગૃહી ગુરૂ હોય તો આવી વ્યકિતઓ નસીબદાર હોય છે. સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવે છે અને ખાસ કરીને નોકરી ધંધામાં અનુકુળતા રહે છે. લાગણી પ્રધાન પણ હોય છે. લગ્ન જીવન સારૂ રહે છે જોકે અહીં બીજા ગ્રહોને પણ ધ્યાનમાં લેવા જોઇએ. રોજ સૂર્ય નમસ્કાર કરવા અને દાનપુન કરવું અંધશ્રદ્ધામાં ન પડવું. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. લગ્ન પછી ભાગ્યોદયની શકયતા પણ ઉભી થાય.