Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

સિવિલ હોસ્પિટલમાં બીમારી સબબ પાટણના અશોકભાઇ સુરાણીનું મોત

રેલવે સ્ટેશન પાસે રખડતું ભટકતું જીવન ગાળતા'તાઃ વાલી વારસની શોધ

રાજકોટ તા. ૧ઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં બીમારી સબબ પાટણના ચાણસમા ગામના વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ શહેરના રેલવે સ્ટેશનની પાર્સલ ઓફીસ સામે મેઇન રોડ પર ફુટપાથ પર એક અજાણ્યો વૃધ્ધ બીમારી સબબ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના એ.અ઼ેસ.આઇ. હરેશભાઇ રત્નોતર તથા રાઇટર તોરલબેને હોસ્પિટલે પહોંચી તપાસ કરતા વૃધ્ધે પોતાનું નામ અશોકભાઇ આંબાલાલ સુરાણી (ઉ.વ. ૬૧) (રહે. પાટણના ચાણસમા ગામ) જણાવ્યું હતું. તે ઘણા સમયથી રાજકોટ રેલવે સ્ટેશન આસપાસ રખડતા ભટકતું જ ીવન ગાળતા હતા. તેને શ્વાસની બીમારી હતી. ત્યાં ગઇકાલે તેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇ તથા રાઇટર તોરલબેને તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્ધના વાલી વારસ હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:50 pm IST)