Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

શાપર-વેરાવળમાં કારખાનામાં વાયરનો રોલ માથે પડતા જગદીશ પરમારનું મોત

રાજકોટ, તા.૧: શાપર-વેરાવળમાં આવેલા કારખાનામાં કામ કરતી વખતે વાયરનો રોલ માથે પડતા યુવાનનું મોત નિપજયુ હતું. મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં આવેલા બુધ્ધનગરમાં રહેતા જગદીશ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૨૮) માઇક્રો ગ્રેથ નામના કારખાનામાં કામ કરતો હતો ત્યારે વાયરનું રોલ માથે પડતા તેને શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા કારખાનામાં કામ કરતા અન્ય મજુરો ભેગા થઇ ગયા હતા અને જગદીશને સારવાર માટે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. અશ્વિનભાઇ મકવાણા અને રાજદીપસિંહએ કાર્યવાહી કરી હતી.

(2:58 pm IST)