Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી તરીકે દિલહરબા વી.સરવૈયાની નિમણુંક કરતા ગાયત્રીબા વાઘેલા

રાજકોટઃ શહેરની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા પુર્વ સમાજ સેવક અને ક્રિકેટર સ્વ.શ્રી બાલસિંહજી સરવૈયાના પુત્રવધુ  અને પરસાણાનગર, રેલનગર, કોઠી કમ્પાઉન્ડ જેવા વિસ્તારમાં યોગની પ્રવૃતી સાથે સંકળાયેલા દિલહરબા વી.સરવૈયાની ગુજરાત પ્રદેશ  મહીલા કોંગ્રેસના મંત્રી તરીકે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પુર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુત, ડો.હેમાંગભાઇ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઇ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા, દાનાબાઇ હુંબલ અને વોર્ડના આગેવાનો કાર્યકરોએ આવકારી હતી.

(3:50 pm IST)