Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટના જામનગર રોડ પર મનહરપુરમાં દાઢી કરાવવા ગયેલા મયુર ઉર્ફે લાલો ધરજીયાની છરીના 5 ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ: જુના મનદુઃખમાં અલ્તાફ અને ટકાએ કર્યો હુમલો

રાજકોટઃ જામનગર રોડ પર માધાપર પાસે મનહરપુર 2માં દાઢી કરાવવા આવેલા મનહરપુર 1ના મયુર ઉર્ફે લાલો વિનોદભાઇ ધરજીયા ઉ.25ને તેના જ જુના મિત્ર અલ્તાફ ઉર્ફે ભાયો તથા ટકો પરમારે છરીના પાંચેક ઘા ઝીકી દેતા ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાતા ગાંધીગ્રામ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધવા તજવીજ કરી છે. 

અગાઉ અલતાફની ઘરવાળી જામનગર જતી રહી હતી અને પાછી આવી ગયા બાદ ફરી એકવાર જતી રહી હતી. તેને ભાગવામાં મયુરે મદદ કર્યાની અલતાફને શંકા હોઈ માથાકૂટ થઈ હતી. એ મનદુઃખને કારણે આ હુમલો થયાનું ખુલ્યું છે. પીઆઇ કે.એ. વાળા, હીરાભાઈ રબારી,ભુમીબેન અને શિવભદ્રસિંહ સહિતે ગુનો નોંધવા તજવીજ કરી હતી. અલ્તાફ ઉર્ફે ટકો અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવાઈ ચુક્યો છે.

(8:55 pm IST)