Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

જન્માષ્ટમી બાદ બદલીનો ઘાણવો કાઢતા મ્યુ. કમિશનર : પી. એ. ચુડાસમા નિવૃત થતા થઇ બદલીઓ : કમિશનર વિભાગના રામાનુજ, બ્રિજ સેલના પરસાણા અને સ્માર્ટ સિટીના રાવલ ની બદલી

રાજકોટ : મહાનગરપાલિકાના કમિશનર વિભાગમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી આર.એન.ચુડાસમાં ઉકત વંચાણે-૧ નાં હુકમથી તા.૩૧/૮/ર૦ર૧ ના રોજ વયનિવૃત્ત થનાર છે. જેથી જાહેર સેવાનાં હિતાર્થે તથા વહીવટી સરળતા ખાતર અધિકારીઓની કામગીરીમાં નીચેની વિગતે ફેરફાર કરવાનો આથી હુકમ કરવામાં આવે છે.

સ્માર્ટ સિટી સેલ ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાવલ હસ્તકની કામગીરી અંગેની વ્યવસ્થા જનરલ મેનેજરશ્રી (સ્માર્ટ સીટી)એ અલગથી કરવાની રહેશે.

આ હુકમનને તાત્કાલીક અસરથી ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેમ મયુનિસીપલ કમિશ્નર શ્રી અમિત અરોરાએ જણાવ્યું છે.

(2:15 pm IST)