Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મ.ન.પા.નાં નિવૃત્ત કર્મચારીઓને તુરત જ હકક હિસ્સો આપવાના નિર્ણયને આવકારતી કર્મચારી પરિષદ

સેમ-ડે હકક હિસ્સો અપાવનારા મ્યુ. કમિશ્નર અમિત અરોરાને શુભેચ્છા પત્ર પાઠવ્યો

રાજકોટ, તા.  ૧ :  મ.ન.પા.ના નિવૃત્ત કર્મચારીઓને તુરત જ હકક-હિસ્સો આપવાનો નિર્ણયને મ.ન.પા. કર્મચારી પરિષદ યુનિયને આવકારી આ માટે મ્યુ. કમિશ્નર અમિત અરોરાને શુભેચ્છા પત્ર પાઠવ્યો હતો.

આ શુભેચ્છા પત્રમાં જણાવાયું હતું કે રાજકોટ મહાનગરપાલીકામાં ફરજો બજાવતા રીટાયર્ડ થયેલ અધિકારીઓ તથા કર્મચારીઓને સેમ-ડે હકક હિસ્સાઓ અપાવાના નિર્ણયથી કર્મચારીઓ આનંદની લાગણી અનુભવે છે. તમામ યુનિયનો તથા અધિકારીઓ તથા કર્મચારીઓ એ આટલા વર્ષો પછી અત્યાર સુધીમાં પહેલો દાખલો છે કે જે અત્યાર સુધીમાં અમિત અરોરા પહેલા કમિશ્નર છે. જેઓએ કર્મચારીના હિત માટે સારી કામગીરી કરી છે. તે બદલ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આ કાર્ય કરવા બદલ મ્યુ. કમિશ્નરશ્રીને ખુબ ખુબ અભિનંદન/ શુભેચ્છા પાઠવીએ છીએ.

(3:15 pm IST)