Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

નેપાળી પ્રોૈઢનું મોતઃ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧: શહેરમાં રખડતું ભટકતું જીવન જીવતાં નેપાળી પ્રોૈઢ ધનબહાદુર તેજબહાદુર ભંડારી (ઉ.વ.૫૫)ને બિમારી સબબ તા. ૪/૧૦ના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પ્ર.નગરના એએઅસાઇ હરેશભાઇ રત્નોતર અને તોરલબેન જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:04 pm IST)