Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

રામેશ્વર મંદિરે રાસોત્સવ

 વોર્ડ નં. ૮ લક્ષ્મીનગર ર/૭ ખાતે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી બાળાઓ માટે દશેરા તેમજ શરદપુનમ નિમિતે રાસોત્સવ આયોજન કરાયું હતું. હિતાર્થીબા ગોહીલ તેમજ કિંજલબા જાડેજાએ તલવાર રાસ રજુ કરેલ. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતી ચિરાગભાઇ ધામેચા, રાજુભાઇ રોઘલીયા, મેહુલભાઇ ધોળકીયા, નિશ્ચલભાઇ જોશી, વિરાગભાઇ જોશી વગેરે હાજર રહી પ્રોત્સાહીત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટ પ્રમુખ નિલેશભાઇ ભટ્ટ, પુજારી દિનેશભાઇ દવે, વિક્રમસિંહ ગોહીલ, હસમુખસિંહ ગોહીલ, પંકજભાઇ તુવર, શંભુ રામોલીયા, રામદેવસિંહ ગોહીલ, દિપભાઇ, પ્રિન્સ, કિશન, હાર્દિક, હરિઓમ, ભાર્ગવ વગેરેએ મહેનત કરેલ.

(3:08 pm IST)