Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સહકારી સંઘ અને રજીસ્ટ્રાર મંડળી દ્વારા મોરબીમાં સેમીનાર :

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાજકોટ જિલ્લા સહકારી સંઘ તેમજ જીલ્લા રજીસ્ટ્રાર (સ.મં.) મોરબીના સંયુકત ઉપક્રમે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી ખાતે વન ડે સેમીનારનું આયોજન કરાયુ હતુ.  મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન બળદેવભાઇ કોટડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સેમીનારમાં માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન મનહરભાઇ બાવરવા, મોરબી સીટીઝન્સ શરાફી સહકારી મંડળીના ચેરમેન મનોજભાઇ દેસાઇ, જિલ્લા રજીસ્ટ્રાર (સ.મ.ં)  મોરબી, ડી. વી. ગઢવી, જિલ્લા સહકારી સંઘના એકઝી. ઓફીસર પરેશભાઇ ફેફર, મોરબી જીલ્લાની માળીયા, ટંકારા અને મોરબી તાલુકાની સેવા, જનરલ શરાફી, પાગરદાર સહકારી સંસ્થાના મંત્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. સેમીનારમાં રજીસ્ટ્રાર કચેરીના અધિકારી ભરતભાઇ ડાંગરે સરકારની વિવિધ યોજના વિષે માહીતી આપેલ. માર્કેટીંગ એડવાઇઝર કેયુરભાઇ બુચે સંસ્થાની કામગીરી વિષે મોટીવેશન માર્ગદર્શન આપેલ. સમગ્ર સેમીનારનું સંચાલન જિલ્લા સંઘના સી.ઇ.આઇ. એ. જે. ઘેટીયાએ કરેલ. અંતમાં આભારવિધિ શ્રી વાઘપર સેવા સહકારી મંડળીના મંત્રી હરપાલસિંહભાઇ જાડેજાએ કરેલ. સેમીનારમાં સેવા, જનરલ શરાફી અને પગારદાર મંડળીના ૯૦ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

(3:09 pm IST)