Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

વાણીયાવાડીમાં જલારામ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા કેક કાપી પૂ. જલાબાપાની જન્મ જયંતિની ઉજવણી કરાશે

રાજકોટ તા. ૩૦ : વિશ્વવંદનીય શ્રી જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતિ તા. ૧૧ ના ગુરૂવારે વાણીયાવાડી ખાતે ધામધુમથી ઉજવવા જલરામ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયુ છે.

ર/૨૩ વાણીયાવાડી ખાતે આવેલ જલારામ મંદિરે સવારે ૮.૩૦ વાગ્યે મંગળા આરતી તેમજ ચરણ પાદુકા પૂજન સાથે ઉજવણીનો પ્રારંભ કરાશે. તેમજ આખો દિવસ પૂ. બાપાની પ્રસાદીરૂપે ગુંદી ગાંઠીયાનું વિતરણ કરાશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે કેક કાપી પૂ. બાપાનો જન્મ દિવસ ઉજવાશે.

બપોરે૧ વાગ્યે થાળ ધરાવી આરતી થશે. સાંજે ૬.૩૦ વાગ્યે પ્રસાદ વિતરણ કરાશે. કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારની ગાઇડ લાઇનને અનુસરીને મહાપ્રસાદ બંધ રાખેલ છે. પરંતુ પૂ. બાપાની પ્રિય ગીરનારી ખીચડી અને ટુકડો રોટલો વાટકામાં પ્રસાદરૂપે વિતરણ કરાશે.

સાંજે ૭.૩૦ વાગ્યે બાપાના મંગલ દ્વારે મહાઆરતી થશે. જેનો સર્વે ભાવિક ભકતોએ લાભ લેવા જલારામ રઘુવંશી મિત્ર મંડળના પ્રમુખ ગીરધરભાઇ કુંડલીયા (મો.૯૮૯૮૧ ૪૫૬૮૧), હેમલભાઇ ઠકરાર (મો.૯૮૨૪૩ ૮૪૬૦૯), નયનભાઇ ગંદા, મયુરભાઇ કુંડલલીયાએ જાહેર અનુરોધ કરેલ છે. 

(3:11 pm IST)