Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

શહેર કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે ફૂલહાર કરાયા

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પપ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે રોજ અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતી અને પુર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની ૩૭ મી પુણ્યતિથિ નિમિતે ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પપ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકા ના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડિયા, નારણભાઈ હીરપરા અને આગેવાનો સેવાદળ જીતુભાઈ ઠાકર, ઠાકરશીભાઈ ગજેરા, સુરેશભાઈ ગરૈયા, રસિકભાઈ ભટ્ટ, ડીબી ગોહિલ, આશિષસિંહ વાઢેર, હીરાલાલ પરમાર, રાજુભાઈ ચાવડા, દિલીપભાઈ ત્રિવેદી, ભાવીશાબેન પરમાર, ધમભા પરમાર, રાજુભાઈ માંડલિયા, શ્યામભાઈ બારોટ, જલ્પેશ કલોલા, હરેશભાઈ સોજીત્રા, પ્રણવ પટેલ, હિતેશભાઈ માકડિયા, રાજકોટ મનપાના કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ સહિતના વિગેરે આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.

(5:00 pm IST)