Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

નરહરિ અમીનના હસ્તે અનાજ માટેની થેલીનું વિતરણ

રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ''સર્વ ને અન્ન, સર્વને પોષણ''નાં સંકલ્પ અન્વયે ''પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'' અંતર્ગત નારણપુરા ખાતે લાભાર્થીઓને અનાજ માટેની થેલીઓનું આજરોજ વિતરણ નરહરિ અમીન (સંસદ સભ્ય, રાજયસભા) દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૌતમભાઇ શાહ (પૂર્વ મેયર), દર્શનભાઇ શાહ (કોર્પોરેટર), શ્રી જયેશભાઇ પટેલ (કોર્પોરેટર), હિતેશભાઇ પટેલ (પોચી), આર. સી. પટેલ તેમજ અન્ય હોદેદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:01 pm IST)