Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

દુર્ઘટનાગ્રસ્તોની વહારે કોંગ્રેસ આગેવાનો

 થોડા દિવસ પહેલા પુજારા પ્લોટમાં મેહુલભાઇ પાંઉના ઘરે આગ લાગતા મોટાભાગની ઘર વખરીને નુકશાન પહોંચ્યુ હતુ. આ સમયે સમાજ સેવક અને કોંગ્રેસ આગેવાન માણસુરભાઇ વાળા તથા રોહીતભાઇ બોરીચાએ ત્યાં દોડી જઇ આ દુર્ધટનાગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી. તેમનું ગૃહસ્થ જીવન ફરીથી ઉજાગર થાય તે માટે મકાનને રંગરોગાન કરાવી આપ્યુ હતુ. તેમ શહેર કોંગ્રેસ સમિતિની એક યાદીમાં જણાવાયુ છે.

(2:32 pm IST)