Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

શહેરમાં કોરોના ૨૨ કેસ

બજરંગવાડી, મારૂતીનગર, માધાપર, મવડી, કોટેચા ચોક, જંગલેશ્વર સહિતના વિસ્‍તારોના ૧૩ મહિલા તથા ૯ પુરૂષોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ તા. ૧ : શહેરમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાના ૧૫ થી ૩૦ કેસ નોંધાઇ રહ્યા છે, ત્‍યારે  શુક્રવારે પણ ૧૪ કેસ આવતા લોકો ચિંતા સાથે સાવચેત બન્‍યા છે. શહેરમાં ગઇકાલે કોરોનાના ૨૨ કેસ નોંધાયા છે.

મનપાની આરોગ્‍ય શાખાની યાદી મુજબ ગઇકાલે તા. ૩૧ના રોજ ૨૨લોકો સંક્રમિત બન્‍યા હતા. જેમાં ૧૩ મહિલાઓ તથા ૯ પુરૂષોનો સમાવેશ થાય છે. આ ૨૨ લોકોમાંથી ૧૭ એ કોરોના રસીના ૩ ડોઝ લીધા છે અને અન્‍ય ૫ લોકોએ બે ડોઝ મુકાવ્‍યા છે. ૨૧ વર્ષથી લઇને ૬૫ વર્ષના ૨૨ લોકોમાંથી કોઇની ટ્રાવેલીંગ હીસ્‍ટ્રી નથી.

સંક્રમિત થયેલ નાગરિકો  બજરંગવાડી, મારૂતીનગર, માધાપર, મવડી, કોટેચા ચોક, જંગલેશ્વર સહિતના વિસ્‍તારના રહેવાસીઓ છે. તમામના આરટીપીસીઆર ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.

(4:03 pm IST)