Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

નરેન્‍દ્રભાઇની જેમ વિજયભાઇ પણ પ્રજાવત્‍સલ નેતા : ભૂપત બોદર

પૂર્વ મુખ્‍યમંત્રીને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા પંચાયત પ્રમુખ

રાજકોટ,તા. ૨ : જિલ્લા પંચાયતના પ્રમુખ બોદરએ આજે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યુ હતુ કે વિજયભાઇ રૂપાણી અને તેમની સંવેદનશીલતા એકમેકના પર્યાય બની ગયા છે. સંવેદનશીલ માનવીની ઓળખ ધરાવતા વિજયભાઇ રૂપાણી ખરા અર્થમાં એક સંવેદનશીલ અને લાગણીશીલ, જીવદયાપ્રેમી અને પર્યાવરણપ્રેમી પણ છે જે તેમના સૌથી મોટા ગુણો છે. મુખ્‍યમંત્રી તરીકે તેમણે અનેકાનેક નિર્ણાયક, પ્રગતીશીલ નિર્ણયો લઇને તેઓએ સમગ્ર ગુજરાતને ખ્‍યાતિ પ્રાપ્ત કરાવી છે. નિખાલસ જનપ્રતિનિધિ તરીકે વિજયભાઇ રૂપાણી દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની જેમ એક પ્રજા વત્‍સલ નેતા તરીકે ઓળખાયા છે. 

(10:28 am IST)