Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

દારૂના બે ગુનામાં ફરાર ભરત વારસુર પકડાયોઃ અગાઉ ૨૪ ગુનામાં સંડોવણી

તાલુકા પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએસઆઇ આર. બી. જાડેજા, કોન્‍સ. શિવભદ્રસિંહ ગોહિલની બાતમી પરથી વાવડી પાસેથી પકડાયો

રાજકોટ તા. ૨: નવા થોરાળા વિજયનગર-૯માં રહેણાંક ધરાવતાં અને હાલમાં વાવડી તથાગતનગર-૩માં રહેતાં ભરત માધવજીભાઇ વારસુર (ઉ.૩૬)ને દારૂના ગુનામાં ફરાર હોઇ તાલુકા પોલીસ વાવડીની રાધેશ્‍યામ ગોૈશાળા પાસેથી પકડી લીધો છે.

આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ ડીસીબી, માલવીયાનગર, જેતપુર તાલુકા, રાજકોટ તાલુકા, યુનિવર્સિટી, આજીડેમ અને શાપર વેરાવળ પોલીસમાં દારૂના કુલ ૨૪ ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. ૨૦૧૬થી અત્‍યાર સુધીમાં આ ગુનાઓમાં તે પકડાઇ ચુક્‍યો હતો. છેલ્લે તાલુકા પોલીસના દારૂના બે ગુનામાં ફરાર હોઇ તે વાવડી પાસે આવ્‍યાની બાતમી પીએઅસાઇ એન. કે. રાજપુરોહિત, એએસઆઇ આર. બી. જાડેજા અને કોન્‍સ. શિવભદ્રસિંહ ગોહિલને મળતાં પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં આરોપીને પકડી લેવાયો હતો. સાથે એએસઆઇ જે. ડી. વાઘેલા, હેડકોન્‍સ. કિશનભાઇ પાંભર, કુલદિપસિંહ જાડેજા, કોન્‍સ. ધર્મરાજસિંહ રાણા, હરસુખભાઇ સબાડ, હર્ષરાજસિંહ જાડેજા, કુશલ જોષી અને શિવભદ્રસિંહ ગોહિલ પણ જોડાયા હતાં. ડીસીબી સુધીરકુમાર દેસાઇ, પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી જે. એસ. ગેડમના માર્ગદર્શનમાં આ કામગીરી થઇ હતી.

(11:48 am IST)