Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વધાવી ગામમાં સુધાબેન ઠેસીયાનો એસીડપી આપઘાત

માનસિક બીમારીના કારણે મહિલાએ પગલુ ભર્યુઃ રાજકોટમાં દમતોડયો

ᅠરાજકોટ તા.૨: જૂનાગઢના વધાવીગામમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ ેસીડ પી લેતા તેનું રાજકોટની હોસ્‍પિટલમૉ સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જૂનાગઢના વધાવીગામમાં રહેતા સુધાબેન પરસોતમભાઇ ઠેસીયા (ઉ.વ.૫૧)એ બે દિવસ પહેલા પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની દોશી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક સુધાબેને માનસિક બીમારીના કારણે આ પગલું ભર્યુ. હોવાનું જાણવા મળ્‍યુ છે. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ વનીતાબેન તથા રાઇટર રાજદીપસિંહ પ્રાથમિક કાગળો કરી જૂનાગઢ મોકલવા તજવીજ હાથધરી છે.

(1:29 pm IST)