Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કોઠારીયા ન્‍યુ સોમનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ૧૬ વર્ષની પ્રીતીનો ફાંસો ખાઇ આપધાત

ઘરકામ બાબતે ઠપકો મળતાં પગલુ ભર્યાની શકયતા

રાજકોટ તા.૨: કોઠારીયાગામ પાસે ન્‍યુ સોમનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં રહેતી ૧૬ વર્ષની સગીરાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કોઠારીયાગામ ગુલાબનગર પાસે ન્‍યુ સોમનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા  શેરી નં.૧માં રહેતી એમપી.ની પ્રીતી સુનિલભાઇ ચૌહાણ (ઉ.વ.૧૬)એ પોતાના ઘરે લાકડાની આડીમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા સગીરાને લટકતી જોઇઅ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી ત્‍યાં તનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ એમ.ડી.પરમાર તથા રાઇટર ભરતભાઇએ તપાસ હાથ ધરી હતી મૃતકનાં પિતા મજૂરી કામ કરે છે તે ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. રસોઇ બનાવવા બાબતે ઠપકો મળતા સગીરાએ આ પગલું ભર્યુ હોવાની પોલીસે

(1:38 pm IST)