Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

૨૮ ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી જામનગર-વડોદરા ઇન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન પુનઃ સ્થાપિત કરાઇ

રાજકોટ : ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એકસપ્રેસ અને ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એકસપ્રેસ જેને ૨૮ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી દર શનિવાર અને રવિવારના રોજ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હતી, તે હવે તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ઉપરોકત બંને ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ દોડશે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. તેવું પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.

(3:28 pm IST)