Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સંદિપ લખતરીયાએ ઝેરી દવા પી લેતાં સારવાર લેવી પડી

પત્નિ અલગ રહેવા જતી રહેતાં દુઃખ લાગ્યું :વાલ્મિકીવાડીમાં સગર્ભા ગુંજનબેનને મારકુટ

રાજકોટ તા. ૨: અટીકા લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી-૧માં ભાડેથી રહેતાં અને ઘર નજીક વાળંદ કામની કેબીન રાખી ગુજરાન ચલાવતાં સંદિપ મનસુખભાઇ લખતરીયા (ઉ.વ.૩૦) નામના યુવાને સાંજે આહિર ચોકમાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

સારવાર બાદ સંદિપને રજા અપાઇ હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે સંદિપના પ્રથમ પત્નિથી છુટાછેડા થઇ ગયા બાદ તેણે કિરણ સાથે બીજુ લગ્ન કર્યુ છે અને તેના થકી એક સંતાન છે. હાલમાં કિરણ અને સંદિપ વચ્ચે ચડભડ થતાં તેણી બીજે અલગ રહેવા જતી રહેતાં અને પાછી ન આવતાં સંદિપને માઠુ લાગી જતાં આ પગલું ભર્યુ હતું. જો કે તબિયત ભયમુકત હોઇ રાતે જ રજા અપાઇ હતી.

બીજા બનાવમાં જામનગર રોડ પર વાલ્મિકીવાડીમાં રહેતી ગુંજનબેન યશ ગોહેલ (ઉ.વ.૨૪)ને કુટુંબના જ લોકો દિપકભાઇ, શિવાનીબેન, બંસીબેન સહિતે મારકુટ કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. ગુંજનબેન હાલમાં સગર્ભા છે. તેને અને પતિને ચડભડ થતાં કુટુંબીજનો સમજાવવા આવ્યા બાદ મારકુટ કરી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

(3:06 pm IST)