Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત સગર્ભાઓની પારિવારીક હુંફ સાથે દેખભાળ

૫૫ સગર્ભાઓની સફળ સારવારથી પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફનો માન્યો આભાર

રાજકોટ તા. ૨ : હાલ વૈશ્વીક કોરોનાના સંક્રમણ કાળમાં જયારે સામાન્ય લોકોને પણ સંક્રમણ થતાં ખાસ સારવારની જરૂર પડે છે ત્યારે કોઇ સગર્ભા મહિલાને કોરોના પોઝીટીવ આવે ત્યારે તે બાબત ગંભીર બની જાય છે. હાલના કોરોના સંક્રમણના કપરા સમયમાં રાજયનું સમગ્ર વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગના ડોકટર્સ,ઙ્ગનર્સ,ઙ્ગસફાઇ કર્મીઓ સહિત સૌ કોઇ કોરોનાને હરાવવા ભગીરથ પ્રયાસો કરી રહયા છે. ત્યારે આવા અત્યંત સંવેદનશીલ કિસ્સામાં રાજકોટ સ્થિત કોવીડ-૧૯ હોસ્પિટલમાં કાર્યરત સમર્પિત તબીબો અને કર્મચારીગણ દ્વારા વિશેષ કાળજી સાથે માતા અને બાળક બન્નેના સ્વાસ્થ્યની તકેદારી રાખી તેઓને ફરી સામાન્ય બનાવવામાં સફળ રહયા છે. તે બાબત કોરોના સામેની લડાઇમાં પ્રેરણાસ્પદ બની રહે છે.ઙ્ગઙ્ગ

વાત છે રાજકોટ સ્થિત સિવિલ હેાસ્પીટલ ખાતે આવેલ કોવીડ-૧૯ હોસ્પિટલમાં પુરા માસની સગર્ભા કોરોના પોઝીટીવ મહિલા હેતલબેન હરજીભાઇ મુંધવાની કે જેઓએ કોરોનાને મહાત આપી છે એટલું જ નહીં પણ એક તંદુરસ્ત બાળકીને પણ જન્મ આપ્યો છે.ઙ્ગ

રાજકોટના ગોરધન ચોક પાસે ખોડીયાર નગર ખાતે રહેતા કોરોના પોઝીટીવ હેતલબેનને સફળ સામાન્ય પ્રસૃતિ કરાવનાર અને તેમને કોરોનાની સારવારમાં ખડેપગે તૈનાત કોરોના વોરીયર્સ એવા કોવીડ -૧૯ હોસ્પિટલમાં કાર્યરત ડો. મીનલબેનના જણાવ્યા મુજબ, સગર્ભા હેતલબેનને છેલ્લા બે દિવસથી સામાન્ય કફની તકલીફ હતી પરંતુ તપાસ કરાવતા તેઓ કોરોના પોઝીટીવ હોવાનું જણાતા તેઓને ખાસ કોવીડ-૧૯ હોસ્પીટલમાં તા. ૨૭મી ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. એક સગર્ભા મહિલા હોવાથી માતા અને ગર્ભસ્થ શીશુની સારવાર એક પડકાર બની રહયો હતો. તેઓની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન જ હેતલબેને પ્રસુતિની પીડા શરૂ થતાં તાત્કાલીક તેઓની પ્રસૃતિ કરાવવામાં આવી હતી. જેમાં હેતલબેને ૨.૬ કિ.ગ્રા. વજનના તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. હાલ હેતલબેન અને બાળકીની કોરોનાને લગતી સારવાર ચાલુ છે. હેતલબેન સ્વસ્થ થઇ ચુકયા છે. બાળકીને પણ નેગેટીવ રીપોર્ટ આવતા માતા અને બાળકને તુરતમાં જ ડીસ્ચાર્જ કરવામાં આવશે. આમ સર્ગભા માતા અને નવજાત બાળકીએ કોરોનાને મહાત આપી એ બાબત સૌ કોઇ માટે ઉત્સાહ અને પ્રેરણાસ્પદ રહી છે.

હેતલબેનને અને નવજાત બાળકીને ખાસ કાળજીપૂર્વકની સારવાર આપનાર કોવીડ-૧૯ના હોસ્પિટલના ડોકટર્સ અને તમામ સ્ટાફ માટે આભારની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે, અહીં તેઓની વિશેષ કાળજી લેવામાં આવી હતી.

કોરોના પોઝીટીવ હોવા છતાં તેમને માનસીક હિંમત આપવા સાથે આત્મીયતાસભર સારવાર આપી તેમને તથા તેમની નવજાત બાળકીને નવજીવન બક્ષ્યું છે. અહીંનો તમામ સ્ટાફ એટલો માનવતાસભર અને આત્મીયજનની માફક લાગણીથી સતત દેખરેખ રાખે છે કે પરીવારની ખોટ પણ સાલતી નથી.ઙ્ગઙ્ગઙ્ગ

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણનું રાજકોટ જિલ્લામાં આગમન થયું ત્યાર થી અત્યાર સુધીમાં કુલ ૫૫ જેટલી સગર્ભા મહિલાઓને સફળ સારવાર આપી ચુકી છે. સગર્ભાવસ્થામાં જયારે પરીવારની હુંફની ખાસ જરૂર હોય તેવા સમયે કોવીડ-૧૯ હોસ્પીટલનો સ્ટાફ એક માનવીય અભિગમ સાથે આવી સગર્ભા મહિલાઓ માટે પરીવારજનની હુંફ સાથે આત્મીયતાથી ખડેપગે હાજર રહી સારવાર કરી રહી છે. આ તમામ કોરોના વોરીયર્સ અભિનંદનને પાત્ર છે. જેઓ માટે રાષ્ટ્રહિત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ તેમના તથા તેમના પરિજનોથી પણ સર્વોપરી છે.

(3:06 pm IST)