Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

શાસ્ત્રીનગરમાં રૂમમાં પડેલા કડબમાં આગ લાગતા ૮૦ હજારનું નુકસાન

આગ શોટ સર્કિટના લીધે લાગી હોવાનું તારણઃ કડબ, મરચાના કોથળા, કુલર, સેટી, અને વાયરીંગ બળી ગયા

રાજકોટ તા. ર : શહેરની રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં મકાનની બાજુમાં ઓરડીમાં રાખેલ કડબમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફેસ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ રામાપીર ચોકડી પાસે આવેલ શાસ્ત્રીનગર શેરી નં. ૪માં બંધ શેરીમાં રહેતા ભીખાભાઇ રાતડીયાના મકાનની બાજુમાં પશુ માટે ઓરડીમાં રાખેલા કડબમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી આગ વાયરીંગમાં શોટ સર્કિટના કારણે લાગી હોવાનું અને તેમાં રૂ.૮૦ હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

(3:38 pm IST)