Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સરદાર પટેલ સ્મૃતિ વંદના

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬ મી જન્મ જયંતિ નિમિતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટના ઉપક્રમે સવારે ૧૧:૩૦ થી ૧ર સુધી સરદાર સ્મારક ભવન, રેષકોર્ષ, કિસાનપરા ચોક ખાતે પ્રાર્થના, સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અને સુતાંજલિનું આયોજન કરવામાં આવેલ. જેમાં સંસ્થાના મંત્રી અલ્પનાબેન ત્રિવેદી તથા સંસ્થાના અન્ય ટ્રસ્ટીશ્રીઓ મનસુખભાઇ જોષી, ધીરૂભાઇ ધાબલિયા, જયંતિભાઇ કાલરિયા, કમલભાઇ ધામી તથા કૌશિકભાઇ મહેતા એ સુતાંજલિ અને પુષ્પાંજલિ દ્વારા સરદાર સાહેબને સ્મરણાંજલિ આપેલ. હિંમતભાઇ ગોડાએ પ્રાર્થના અને ભજનો દ્વારા ભાવાંજલિ આપેલ. આ કાર્યક્રમની સાથે ''વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો''ના સુત્રને સાર્થક કરતા વિદ્યાર્થીનીઓ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરશવામાં આવેલ. સ્મૃતિ વંદના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તથા સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

(3:27 pm IST)